Chapter : જુમ્આની નમાઝ
(Page : 208)
સવાલ(રપ૭–૧૩૭):– એક ગામ છે જેની કુલ વસ્તી આસરે ૩૦૦૦/ની છે મુસ્લિમ વસ્તી રર ઘર છે તો એ ગામમાં એક મસ્જિદ છે ત્યાં જુમ્આ તથા ઈદની નમાઝ પઢી શકાય? કે ન પઢી શકાય?
જવાબ(રપ૭–૧૩૭)– જો એ ગામ ત્યાંના ઉર્ફ(બોલચાલ)માં કસ્બો લેખાતુ હોય ભલેને મુસ્લિમોની વસ્તી ઓછી હોય તો ત્યાં જુમ્અહ–ઇદની નમાઝ પઢવી દુરૂસ્ત છે, નહિં તો જાઈઝ નથી, એટલે દુરૂસ્ત લેખાશે નહિં. પછી પઢવી વ્યર્થ છે ઝોહર પઢવી જોઈએ.
હનફી સરણીમાં જુમ્અહ પઢવા માટે શહેર અથવા કસ્બો હાવું શર્ત છે જેથી નાના ગામમાં જુમ્અહ પઢશે તો ઝોહરનો ફર્ઝ માથે બાકી રહેશે જેથી પકડ થશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (હિદાયાઃ ૧/૧૬૮)
Log in or Register to save this content for later.