Chapter : જુમ્આની નમાઝ
(Page : 208)
સવાલ(રપ૬–૧૩૬):– કોઈ નાના ગામડામાં ગયા હોય અને તે લોકો જુમ્આ પઢતા હોય તો તેમને રોકવા યા નહિં ? જો જુમ્આ ન થતી હોય અને તે લોકો જુમ્આ પઢતા હોય તો શું આપણાં ઉપર ઝોહર બાકી રહે છે ? એ વિષે શરીઅતનો શું હુકમ છે ?
જવાબ(રપ૬–૧૩૬):– નાના ગામડામાં જુમ્આ જાઈઝ નથી,શહેર અથવા કસ્બો (મોટુ ગામ) હોવું શર્ત છે,ઝોહર પઢવી જોઈએ,જો એવા નાના ગામડામાં જુમ્આ પઢશે તો ઝોહરનો ફર્ઝ માથે બાકી રહેશે,જુમ્આમાં શરીક થાય નહિં, બાદમાં અલગ ઝોહરની જમાઅત કરવામાં આવે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ૩/૩ર)
Log in or Register to save this content for later.