Chapter : નમાઝના વિવિધ મસાઈલ
(Page : 223)
સવાલ(ર૯ર–૧૭ર):– નમાઝ પછી જે દુઆ માંગવામાં આવે છે,તો દુઆની આખિરમાં દુરૂદ શરીફ પઢવું જરૂરી છે કે નહિં ? દુરૂદ શરીફ ન પઢે તો ચાલે કે નહિં ?
જવાબ(ર૯ર–૧૭ર):– દુઆની છેવટમાં દુરૂદ શરીફ ઝોરથી લોકોને પઢાવવું જરૂરી નથી,જયાં લોકો એને જરૂરી માનતા હોય,ના પઢનારને બુરૂ ભલુ કહેતાં હોય એવી જગ્યાએ છોડી દેવું જોઈએ,હકીકતમાં દુઆની અવ્વલ–આખિર દુરૂદ શરીફ પઢવું મુસ્તહબ છે,એનાથી દુઆ કબૂલ થાય છે,પરંતુ જરૂરી સમજવામાં આવે નહિં. એજ ખુદાપાક વધુ જાણનાર છે.
(જવાહિરુલ ફિકહઃ ૧/૩૭ર)
Log in or Register to save this content for later.