નમાઝ ન પઢવાની સજા.

Chapter : નમાઝના વિવિધ મસાઈલ

(Page : 220)

સવાલ (ર૮૪–૧૬૪):– નમાઝ ન પઢવાથી અલ્લાહ તઆલાના દરબારમાં શું સજા થશે ?

જવાબ (ર૮૪–૧૬૪):–   નમાઝ,ઈસ્લામના સ્થંભોમાંથી એક મહાન સ્થંભ છે, દીનની ઈમારત એના ઉપર કાયમ છે, જેણે નમાઝ પાબંદીથી પઢી તેણે દીનને સંભાળી રાખ્યો, અને જેણે નમાઝ ત્યજી દીધી,તેણે દીન પાડી દીધો, એટલે તેનું ઈમાન ભયમાં છે.                                 (મુસ્લિમ શરીફ)

                બીજી રિવાયતમાં છે જેણે જાણી જોઈને એટલે વિના ઉજરે નમાઝ છોડી તે કાફિર થઈ ગયો,એટલે કુફ્રના નજીક પહોંચી ગયો.   (મુસ્લિમ શરીફ)

                એવી અનેક હદીષો તથા આયતો નમાઝની તાકીદ વિષે આવેલી છે, નમાઝ છોડવા બાબત સખ્ત વઈદો આવેલ છે,હદીષ શરીફમાં છે કે નમાઝ છોડવાથી હકબહ (લાંબી મુદ્દત) જહન્‍નમમાં બળવું પઢશે,ખુદાપાકની પનાહ, બેનમાઝી,ફિર્ઓન તથા કારૂન,હામાન,નમરૂદ જેવા મોટા કાફિરોની સંગાતે ઉઠાવવામાં આવશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(મિશકાત શરીફઃ પેજ–પ૮)

Log in or Register to save this content for later.