નમાઝમાં ખોટા વિચારો આવવા.

Chapter : નમાઝના વિવિધ મસાઈલ

(Page : 220)

સવાલ (ર૮૩–૧૬૩):–  નમાઝની અંદર દુનિયાના ખ્યાલ તથા શૈતાનના ખ્યાલ અથવા જાણી બુઝીને ખ્યાલ આવ્યા હોય તો એવી પઢેલી નમાઝ કબૂલ થશે કે કેમ ?

જવાબ (ર૮૩–૧૬૩):–  નમાઝમાં વસવસા (કુવિચારો) આવવાથી ફાસિદ થશે નહિં, ફરી લોટાવવી વાજિબ નથી,વસવસા દૂર કરવાની રીત આ છે કે એના તરફ લક્ષ આપે નહિં,અને પઢવામાં દિલ લગાવે,આપોઆપ વસવસા જતા રહેશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (મિશકાત શરીફઃપેજઃ૧૯)

Log in or Register to save this content for later.