તરાવીહનું મહેનતાણું લેવું.

Chapter : તરાવીહ

(Page : 189)

સવાલ(ર૧૪–૯૪):–        રમઝાનમાં કાયમી પગારવાળો ઈમામ જે તરાવીહ પણ પઢાવે છે,અને તેની તરાવીહમાં કુર્આન શરીફ ખતમ અથવા ‘અલમતર’ થી તરાવીહ પઢાવી આપે છે,અને તેના માટે રમઝાનની સત્તાવીસમી રાત્રે ઈમામ સાહબના ફાળા માટેનું એલાન કરવામાં આવે છે, જેમાં લોકો યથાશકિત આપે છે,તો પુછવાનું એ છે કે સદરહુ ઈમામ માટે આવો ફાળો કરવો કેવો છે ? કારણ કે આમ ઈન્સાન માટે  સવાલ કરવો મના છે,પછી ઈમામ માટે આવા ફાળા માટે સવાલ કરવો જાઈઝ ગણાશે કે કેમ ? રમઝાન બાદ મસ્જિદ બહાર વ્યકિતગત ઉઘરાવવું કેમ છે. ?

જવાબ(ર૧૪–૯૪):–        તરાવીહના મહેનતાણા પેટે ઉઘરાણું જાઈઝ નથી,પઢાવનાર ઈમામે લેવું મના છે,અલબત્ત કોઈ ખુશીથી આપે તો લેવામાં કંઈ વાંધો નથી,લિલ્લાહ (મહેનતાણાની આશા વગર) પઢાવે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.               (આધારિત ઈમદાદુલ ફતાવાઃ ૩/૩૩૪)

Log in or Register to save this content for later.