તરાવીહની ચાર રકાતે શું પઢવું ?

Chapter : તરાવીહ

(Page : 188)

સવાલ(ર૧ર–૯ર):–         તરાવીહની ચાર રકાતે કલેમા,દુરૂદ શરીફ,ચારે સહાબાના નામ જોરથી પઢવું યા આહિસ્તા પઢવું ? પઢવા અંગે ઉલમાએ દીન શું ફરમાવે છે ?જોરથી પઢવું યા આહિસ્તાથી પઢવું કે ખામોશ રહેવું ? ખામોશ રહેવાથી ગુનોહ થશે ?

જવાબ(ર૧ર–૯ર):–         તરાવીહમાં (તરાવીહની દર ચાર રકાત બાદ બેસવું) અફઝલ આ છે કે દરેક મુસલ્લી ધીમેથી ઝિક્ર (કલિમા,દુરૂદ શરીફ,તસ્બીહ વિગેરે) કરે,ચુપ બેસી રહેવું ગુનોહ નથી,પરંતુ રમઝાનની બરકતવંતી રાતને ગનીમત જાણી એ વખત નકામો બરબાદ કરવો જોઈએ નહિં,રમઝાન સવાબ કમાવવાની સીઝન છે,દર ચાર રકાત બાદ ઈમામે ઝોરથી દુઆ માંગવી સાબિત નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(ઈમદાદુલ ફતાવા.૧/૪૯૦, શામીઃ ર/ર૯૭)

Log in or Register to save this content for later.