Chapter : જેની રકાતો છુટેલ હોય
(Page : 175)
સવાલ(૧૮૩–૬૩):– જો જમાઅતવારી નમાઝમાં અંતિમ કાયદામાં ઈમામ બેઠા હોય અને તે વખતે જેની બધી રકાતો ગઈ છે,તે આ કાયદામાં બેસી જમાઅતનો સવાબ હાસિલ કરવા ચાહે છે,તો જો કાયદામાં બેસવા માટે અલ્લાહુ અકબર કહી દે એટલામાં ઈમામ સાહબે સલામની શરૂઆત કરી દીધી,આવા સમયે અલ્લાહુ અકબર કહીને કાયદામાં બેસવું કે કયામમાં રહીને પોતાની ગયેલી નમાઝની શરૂઆત કરી દેવી? અને શું આવનાર માણસ આવી રીતે જમાઅત મેળવવાનો અધિકારી ગણાશે ?
જવાબ(૧૮૩ –૬૩):– ઈમામની સલામ પહેલાં મુકતદીએ તકબીરે તહરીમાં કહી હોય તો ઈકતિદા દુરૂસ્ત લેખાશે,ભલેને મુકતદી બેસવા પામ્યો ન હોય ! એને જમાઅતનો સવાબ મળશે,લોકોનું કહેવું (જયાં સુધી અત્તહિય્યાત ન પઢે ઈકતિદા દુરૂસ્ત લેખાશે નહિં) ખોટું છે,મુકતદી બેસતા પહેલાં જયારે ઈમામે સલામ ફેરવી દીધી તો હવે બેસે નહિં,કિયામમાં રહીને પોતાની છુટી ગયેલી રકાતો પઢવાનું શરૂ કરી દે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (અઝીઝુલ ફતાવાઃ ૧/રરર)
Log in or Register to save this content for later.