Chapter : નમાઝના વિવિધ મસાઈલ
(Page : 222)
સવાલ(ર૯૦–૧૭૦):– જમાતથી નમાઝ પઢતી વખતે નમાઝીઓએ મુકબ્બિર તકબીર શરૂ કરે ત્યારે ઉભા થવું જોઈએ કે પછી હય્ય અલસ્સલાહ કહે ત્યારે ઉભા થવું જોઈએ?
જવાબ(ર૯૦–૧૭૦):– તકબીર શરૂ થતા જ મુસલ્લિઓએ ઉભા થઈને સફો સીધી કરવાં લાગી જવુ જાઈઝ છે, હય્યઅલસ્સલાહ વખતે ઉભા થવાને જરૂરી જાણવું ખોટું છે અમુક આલિમોના મતાનુસાર હય્યઅલસ્સલાહ વખતે ઉભા થવું મુસ્તહબ છે. અલ્લાહપાક વધુ જાણનાર છે. (ફતાવા દારૂલઉલૂમઃર/ર૧ર)
Log in or Register to save this content for later.