Chapter : ઝકાત
(Page : 232)
સવાલ(૩૧૧–૧૬):– ઝકાત કયારે ફર્ઝ થાય ? વરસમાં કોઈ નકકી કરેલા દિવસે કે મહિને આપવી ? એનો ખુલાસો આપશો ?
જવાબ(૩૧૧–૧૬):– ઘરેણાં કે બચત રકમ તેમજ વેપારનો માલ હોય તો એ સર્વે પર વરસ દિવસ વિત્યા પછી ઝકાત ફર્ઝ થાય છે.રમઝાનથી રમઝાન અથવા મહોર્રમથી મહોર્રમ ગણવામાં આવે, વરસ પુરૂ થતાં પહેલા ફર્ઝ થતી નથી,પરંતુ કોઈ અગાઉ ઝકાત પેટે આપવા ઈચ્છે તો આપી શકે છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(શામીઃ ૩/૧૮૬. હિદાયાઃ ૧/૧૮૪)
Log in or Register to save this content for later.