Chapter : ઝકાત
(Page : 231)
સવાલ(૩૦૭–૧ર):–ઝકાત આપતી વખતે નિય્યત કરવી કે કેમ ? અને આપતી વખતે આપનારને આ ઝકાત છે,એવું કહેવું જરૂરી છે કે કેમ ?
જવાબ(૩૦૭–૧ર):– તમારા ઉપર ફર્ઝ થયેલ ઝકાતની પુરી રકમ હિસાબ કરી અલગ કાઢી હોય તો વારંવાર આપવાના સમયે નિય્યત કરવી જરૂરી નથી, કારણ કે પહેલીવાર રકમ અલગ કરી ત્યારે નિય્યત કરી લેવામાં આવી, અને જો ઝકાતની રકમ જુદી કાઢી ન હોય તો આપતી વખતે ઝકાતની નિય્યત કરવી જરૂરી છે. તેમજ જેને ઝકાત આપવામાં આવે તેને એવું કહેવું કે આ ઝકાતની રકમ કે તેમાંથી ખરીદેલી વસ્તુ છે,કહેવું–જણાવવું જરૂરી નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(આલમગીરીઃ ૧/૧૭૦ તથા ૧૭૧ શામીઃ ૩/૧૮૭)
Log in or Register to save this content for later.