ઝકાતની રકમ વકીલ પાસે પડેલી રહે.

Chapter : ઝકાત

(Page : 239)

સવાલ(૩ર૭–૩ર):– જમાઅતની કમીટીના સભ્યો,જમાઅતના લોકો પાસેથી ઝકાતના પૈસા જમાઅતના હકદાર લોકોના ઉપયોગ કરવા માટે લે છે,પરંતુ મજકૂર રકમ સમય પર ઉપયોગ ન કરી શકાય,અને તે કમીટી પાસે એક બે વર્ષ અમાનત રહયા પછી હકદાર લોકોને આપવામાં આવે તો શું ઝકાત આપનાર ભાઈની તે જ વખતે ઝકાત અદા થઈ જશે?

જવાબ(૩ર૭–૩ર):–  જેમ બને તેમ સમયસર ઝકાતનાં નાણાં અદા કરવા જરૂરી અને યોગ્ય છે,કમીટીને મળેલ ઝકાતના નાણાં રાખી ધીમે ધીમે ખર્ચ કરવું જાઈઝ છે.પરંતુ જયાં સુધી ઝકાતના નાણાં હકદારને આપવામાં આવે નહિં, ત્યાં સુધી ઝકાત અદા થશે નહિં. કારણ કે કમીટીના સભ્યો ઝકાત આપનારના વકીલ હોય છે,માત્ર વકીલના કબજામાં હોવાથી અદા થશે નહિં. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(નિઝામુલ ફતાવાઃ પેજ–૧૧૬. જવાહિરુલ ફિકહઃ ૬/૧૦૧ હિદાયાઃ૧/૧૮૬)

Log in or Register to save this content for later.