ઝકાતના નાણાંથી પેટ્રોમેક્ષ ખરીદી સંસ્થામાં આપવી.

Chapter : ઝકાત

(Page : 227)

સવાલ(ર૯૯–૪):–ઝકાતના પૈસાથી,મદ્રસા તેમજ અંજુમન માટે પેટ્રોમેક્ષબત્તી લાવી શકાય ?

જવાબ(ર૯૯–૪):–ઝકાતના નાણાં વડે પેટ્રોમેક્ષબત્તી કોઈ પણ અંજુમન કે સંસ્થામાં આપવી જોઈએ નહિં, ઝકાત અદા થશે નહિં, જો કોઈ ગરીબ માણસને ઝકાતના નાણાં આપી સ્વતંત્ર માલિક બનાવ્વામાં આવ્યો હોય,ફરી તે માણસ પેટ્રોમેક્ષબત્તી લઈ જયાં આપવા ચાહે ત્યાં આપી શકે છે,અથવા કોઈ ઝકાતના હકદારને પેટ્રોમેક્ષબત્તી આપી માલિક બનાવ્વામાં આવે તો તે માણસ જયાં આપવા ઈચ્છે ત્યાં આપી શકે છે. ફકત અલ્લાહપાક  વધુ જાણનાર છે.

(આલમગીરીઃ ૧/૧૭૦)

Log in or Register to save this content for later.