જે માર્ગે સફર કરે તેનો એઅતેબાર થશે.

Chapter : સફરની નમાઝ

(Page : 202)

સવાલ(ર૪૮–૧ર૮):–   આણંદથી અમદાવાદ રેલ્વે માર્ગે ૪૮ માઈલ કરતાં ઓછું અંતર થાય છે. જયારે રોડ ઉપર એસ.ટી. બસમાં કે ગાડી (કાર) લઈને જઈએ તો પણ પચાસ માઈલ થાય છે. તો આણંદથી અમદાવાદ જનાર માણસને કસર પઢવી પડશે? કેટલાક કહે છે કે રેલથી જાઓ તો કસર નહીં અને બસ તથા કારથી જાઓ તો કસર પઢવી તો આપ શરઈ મસ્અલો તે અંગે શું છે તે જણાવશો.

જવાબ(ર૪૮–૧ર૮):–    જે માર્ગે સફર કરે તેનો એઅતેબાર કરવામાં આવશે, આથી રેલ્વે દ્વારા પ્રવાસીઓ પુરી પઢે અને સડક(રોડ)ના રાહદારીઓ કસર પઢે. એજ અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃર/૬૦૩,  હિદાયાઃ૧/૧૬પ )

Log in or Register to save this content for later.