જુમ્આ અને ઈદ.

Chapter : ઈદના મસાઈલ

(Page : 215)

સવાલ(ર૭ર–૧પર):–     હમારા ગામમાં જુમ્‍આની નમાઝ પઢતા નથી, કેમકે અમારા ગામમાં જુમ્‍આ દુરૂસ્ત નથી,છતાં અહિંયા પહેલેથી બન્‍ને ઈદોની નમાઝ પઢવાનો સિલસિલો ચાલુ છે,તો ઈદની નમાઝ પઢેલી સહીહ ગણાશે કે નહિં ? અમુક માણસો જે જાણી જોઈને ઈદની નમાઝ પઢતા નથી,તો તેમને કંઈ ગુનોહ લાગુ પડશે કે નહિં ?

જવાબ(ર૭ર–૧પર):–     જયાં જુમ્‍આ દુરૂસ્ત નથી ત્યાં ઈદ પણ દુરૂસ્ત નથી, બન્‍નેની શર્તો,ખુત્બા સિવાય સમાન છે,પછી પઢવી વ્યર્થ છે,જેઓ પઢતા નથી તેઓ હક પર છે,પઢનારને રોકવું જોઈએ. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.

(હિદાયાઃ ૧/૧૭ર. શામીઃ ૩/૪પ)

Log in or Register to save this content for later.