Chapter : જુમ્આની નમાઝ
(Page : 206)
સવાલ(રપ૪–૧૩૪):– એમ સાંભળવામાં આવ્યું છે કે હઝરત મુઆવિયહ (રદિ.) ના ઝમાનાથી પહેલાં જુમ્આની નમાઝ બાદ ખુત્બો પઢવામાં આવતો હતો, જયારે હઝરત મુઆવિયહ (રદિ.) ખિલાફતના ઉપર આવ્યા ત્યારે તેમણે ખુત્બો જુમ્આની નમાઝ પહેલાં પઢયો, તો શું એ તરીકો સહીહ થશે ?
જવાબ(રપ૪–૧૩૪):– દર્શાવેલ ખબર ખોટી છે.રસૂલે અકરમ (સ.અ.વ.) તથા ખુલફાએ રાશેદીન (રદિ.) ના યુગમાં જુમ્આનો ખુત્બો નમાઝ અગાઉ સાબિત છે. અને ઈદનો ખુત્બો નમાઝ બાદ, હઝરત મરવાન (રદિ.) એ ઈદનો ખુત્બો જુમ્આ માફક નમાઝ અગાઉ પઢયો હતો,તેના ઉપર સહાબા (રદિ.) એ પ્રોટેસ્ટ ઉઠાવ્યો હતો. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (મિશ્કાત શરીફઃ ૧રપ, શામીઃ ૩/૧૯)
Log in or Register to save this content for later.