Chapter : સુન્નત અને નફલ
(Page : 182)
સવાલ(ર૦૦–૮૦):– જુમ્આની કેટલી સુન્નતો છે ?અને તેની નિય્યત કેવી રીતે કરવી? જુમ્આની અઝાન પછી કેટલી સુન્નતો પઢવી ? અને તેની નિય્યત શું કરવી ? ફર્ઝ નમાઝમાં ટાઈમની નિય્યત કરવી જરૂરી છે ? અને તેની નિય્યત કઈ રીતે કરવી ?
જવાબ(ર૦૦–૮૦):– જુમ્આ અગાઉ ચાર રકાત અને જુમ્આ બાદ છ રકાત સુન્નતે મોઅકકદહ છે,એટલે વાજિબ માફક પઢવી જરૂરી છે,ન પઢવાથી ગુનેહગાર થશે,નિય્યત સુન્નતની કરવામાં આવે,વખત નકકી કરવો નિય્યતમાં જરૂરી નથી, જેમકે હું ચાર રકાત સુન્નત પઢું છું,જુમ્આ અગાઉ કે પછીની કહેવું જરૂરી નથી,દરેક ફર્ઝ નમાઝમાં ટાઈમની નિય્યત કરવી જરૂરી છે,જેમકે હું જુમ્આની ફર્ઝ બે રકાત પઢું છું. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ર/૪પ૧)
Log in or Register to save this content for later.