જમીનની પાક પર ઝકાત આપવી.

Chapter : ઝકાત

(Page : 243)

સવાલ(૩૩૭–૪ર):– એક ખેડુત વરસાદના પાણીથી તથા પિવાતથી જમીનમાં પાક લે છે,ખેડુત પિવાતની પાક અને વરસાદના પાકની ઝકાત કેવી રીતે કાઢે ? વર્ષ પુરૂ થયે પાકની રકમ આવેલ હોય તેની ઝકાત અદા કરે કે પછી પાક તૈયાર થાય ત્યારે ઝકાત આપે ? જો પાક ઉપર ઝકાત હોય તો વરસાદથી લીધેલ પાકની ઝકાત કેવી રીતે કાઢે ? અને પિવાતથી લીધેલ પાકની ઝકાત કેવી રીતે કાઢે ?

જવાબ(૩૩૭–૪ર):–જમીનનાં બે પ્રકાર છે. ઉશરી અને ખિરાજી. ઉશરી તે જમીનને કહેવામાં આવે છે જે મુસ્લિમોની માલિકીમાં વંશપરંપરાથી ચાલી આવતી હોય,તેમાં ઉશર એટલે દસમો ભાગ વાજિબ છે; અને ખિરાજી ફાફિરોની જમીન જેમાં ખિરાજ–મેહસૂલ લેવામાં આવે,તેમાં ઉશર વાજિબ નથી.

                આપણાં દેશની,જમીન બાબત આલિમોનો મતફેર છે,અમૂક આલિમોએ ખિરાજી ગણી છે. કારણ કે સરકાર આપણી પાસેથી સરકારધારો વસૂલ કરે છે,પરંતુ મુહકકેકીન આલિમોનું કથન એ છે કે ઉશરી જમીનમાંથી સરકારધારો લેવાથી ઉશર અદા થશે નહિં, એહતિયાતની રૂએ આપી દેવું જોઈએ.

                સારાંશ કે ભારતની બધી જમીનમાં ઉશર નથી, વરસાદના પાણીથી થયેલા પાકમાં દસમો ભાગ અને પિવાતથી થયેલ ખેતીમાં વીસમો ભાગ વાજિબ છે. જે મુસલમાનોની માલિકીમાં ચાલતી આવતી હોય તેમાંથી  ઉશર દેવું જોઈએ. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(આલમગીરીઃ ૧/૧૮૬. જવાહિરુલ ફિકહઃ ર/ર૬ર. નિઝામુલ ફતાવાઃ૧૧૯)

Log in or Register to save this content for later.