જમાઅતનો વખત નજીક હોય ત્યારે સુન્નતો પઢવી.

Chapter : સુન્‍નત અને નફલ

(Page : 184)

સવાલ(ર૦૩–૮૩):–        જમાઅતનો વખત નજીક હોય અને જમાઅતમાં સુન્‍નત પઢવા ઉભા થાય તો શું હુકમ છે? એ જાણે છે કે આ ટાઈમે જમાઅત ઉભી થાય છે.

જવાબ(ર૦૩–૮૩):–        જયારે જમાઅતનો વખત નજીક હોય કે સુન્‍નત પુરી કરવા પહેલાં જમાઅત ઉભી થઈ જશે તો આ રીતે મસ્જિદમાં સુન્‍નત પઢવી જોઈએ કે સફ ઉભી કરવામાં હરજ ન થાય, જેમકે હદીષ શરીફમાં છે કે જયારે જમાઅત ઉભી થાય તો ફર્ઝ નમાઝ વગર કોઈ નમાઝ નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.        (શામીઃર/પ૧૦)

Log in or Register to save this content for later.