ચાલુ નમાઝે વુઝૂ તૂટે, વુઝૂ કરી નમાઝમાં શામેલ થાય.

Chapter : જેની રકાતો છુટેલ હોય

(Page : 175)

સવાલ(૧૮૪–૬૪):– એક માણસની ઈશાંની નમાઝમાં બીજી રકાતમાં ઈમામ જયારે સિજદામાં ગયા તે વખતે હવા સરી,નમાઝમાંથી ચુપચાપ આવી વુઝૂ કરી નમાઝમાં શામેલ થયો,એ માણસે એકલાએ ત્રીજી રકાત અદા કરી, ઈમામ સાથે ચોથી રકાતમાં રૂકૂઅમાં શામેલ થઈ નમાઝ પુરી કરી ઈમામ સાથે સલામ ફેરવી,તો આ પ્રમાણે છુટેલી રકાતો જમાઅત સાથે રહી એકલા પઢી શકાય કે કેમ ?

જવાબ(૧૮૪–૬૪):– એ માણસની નમાઝ દુરૂસ્ત થઈ ગઈ,ફરી લોટાવવાની જરૂરત નથી,છુટી ગયેલી રકાતોમાં લાહિક મુકતદી જેની ઈમામ પાછળ વુઝૂ તુટવાથી રકાત ગઈ હોય,કિરાઅત પઢે નહિં,જેમ મુકતદી ઉપર કિરાઅત નથી, કારણ કે એ ઈમામના તાબે લેખાશે,પરંતુ બેહતર આ છે કે વુઝૂ કરી ઈમામ સાથે શામેલ થઈ જાય,જો રકાત છુટી ગઈ હોય તો ઈમામના સલામ ફેરવ્યા પછી ઉઠીને વગર કિરાઅતે પઢી લે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.  ( શર્હે વિકાયાઃ ૧/૧પ૮)

Log in or Register to save this content for later.