ચાર રકા’ત વાળી નમાઝમાં ત્રીજી રકા’તે બેસી જવું.

Chapter : સિજદએ સહવ

(Page : 196)

સવાલ(ર૩ર–૧૧ર):–       ફરજ નમાઝની ચાર રકા’ત વાળી નમાઝમાં ત્રીજી રકા’તને ચોથી સમજીને ઈમામ સા. બેસી ગયા,ઈત્મિનાનથી બેઠા,પરંતુ તશહહુદ (અત્તહિય્યાત) પઢવાનું શરૂ કર્યુ ન હતું કે પાછળથી લુકમો મળતાં ઈમામ સાહબ ઉભા થઈ ગયા,અને ચોથી રકા’ત પઢાવીને બન્‍ને બાજુ સલામ ફેરવી દીધી તો સિજદએ સહવ કરવો જોઈએ કે નહિં ?

જવાબ(ર૩ર–૧૧ર):–  રૂકન (ત્રણ તસ્બીહ) બરાબર વિલંબ થવાથી સિજદએ સહવ વાજિબ થશે,અમૂક આલિમોએ એક તસ્બીહ જેટલી તાખીર ઉપર સિજદએ સહવ લાગુ કર્યો છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(કાજીખાનઃ૧/૬૦,  શામીઃર/પ૪૪)

Log in or Register to save this content for later.