Chapter : ઝકાત
(Page : 237)
સવાલ(૩ર૩–ર૮):– એક માણસ પાસે રૂપિયા ૧૦૦૦/– રોકડા છે,અને ચાર તોલા સોનું છે,તો શું તેણે સોનાની પણ ઝકાત આપવી પડશે કે કેમ ? નિસાબ તો સાડા સાત તોલા સોનાનો છે ?
જવાબ(૩ર૩–ર૮):– આ બંને ને વઝન કરી જોવામાં આવે,જો નિસાબ જેટલી રકમ થતી હોય તો ઝકાત આપવી વાજિબ થશે,અને બંનેને વઝન કરતાં પણ નિસાબ જેટલી રકમ પુરી ન થતી હોય તો ઝકાત ફર્ઝ થશે નહિં. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (આલમગીરીઃ ૧/૧૭૯)
Log in or Register to save this content for later.