ચંદો કરનારને ઝકાતમાંથી ગાડી ભાડું આપવું.

Chapter : ઝકાત

(Page : 241)

સવાલ(૩૩ર–૩૭):–  સંસ્થાના માણસો ઝકાત ઉઘરાવવા ગામડાઓમાં જાય છે,એ માણસોનું ગાડી ભાડું તથા ખાવાનો ખર્ચ વિગેરે ઝકાતની જ રકમ માંથી વસૂલ કરી શકાય ? અગર નહિં લઈ શકાય તો કયા પૈસામાંથી એ ખર્ચ વસૂલ કરવો?

જવાબ(૩૩ર–૩૭):– ઝકાત ઉઘરાવવાં આવેલા માણસોનું ગાડી ભાડું તથા ભથ્થુ વાજિબ સદકહના ફંડમાંથી વસૂલ લેવું મના છે,તેઓ ”આમેલીન” અર્થાત ઝકાત વસૂલ કરવા ઈસ્લામી સરકારે નિમણુંક કરેલા માણસોના હુકમમાં લેખાશે નહિં. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(ફતાવા દારૂલઉલૂમઃ ૬/ર૦૮)

Log in or Register to save this content for later.