Chapter : જુમ્આની નમાઝ
(Page : 208)
સવાલ(રપ૮–૧૩૮):– હમારા ગામમાં વરસોથી જુમ્આ થતી આવે છે, પરંતુ એક જાણકાર ઈલ્મપ્રેમી પાસેથી જાણવા મળ્યું છે કે તમારા ગામમાં જુમ્આ સહી થતી નથી,માટે ઝોહર પઢવી,અમો વરસોથી છુપી રીતે ઝોહર અદા કરીએ છીએ,જુમ્આમાં શામિલ થઈએ છીએ,બે રકા’ત ઈમામ સાથે નફિલ નિય્યત કરી પઢીએ છીએ,જાણકારોને પૂછવાથી જાણવા મળ્યું કે જુમ્આ માટે શહેર કે કસ્બો હોવો જોઈએ,ગામ શહેરથી પાંચ માઈલની અંદર હોવું જરૂરી છે. ગામની કુલ વસ્તી ૩૦૦૦ (ત્રણ હજાર) હોવી જરૂરી છે,ગામમાં જીવન જરૂરિયાતની વસ્તુનું મળવું જરૂરી છે,જયારે અમારૂ ગામ ભરૂચ શહેરથી બરાબર ૬(છ) એટલે આઠ કિલોમિટર છે,અમારા ગામની કુલ વસ્તી મુસ્લિમ, હિન્દુ,દુબળા,હરિજન મળી ૧ર૦૦ (બારસો) છે, તો હમારે ઝોહર અદા કરવી કે જુમ્આ પઢવી ? અને જુમ્આમાં શામિલ થઈ ખુત્બો સાંભળવો છે,જુમ્આની બે રકા’ત ઈમામ સાહબ સાથેની ફરજની જગ્યાએ નફિલ અદા કરીએ છીએ તે શું એ બરાબર છે ?
જવાબ(રપ૮–૧૩૮):– હનફી સરણીમાં જુમ્આ તથા ઈદ માટે શહેર,કસ્બો કે મોટું ગામ હોવું શર્ત છે,નાના ગામડામાં દુરૂસ્ત નથી, નાના ગામવાસીઓ પર નજીકના શહેર માં જુમ્આ તથા ઈદ પઢવા જવું મુસ્તહબ છે,વાજિબ નથી કે ન જવાથી ગુનેહગાર થાય ! ઝોહરના ફર્ઝ માથે બાકી રહેવાથી ગુનેહગાર થઈને અઝાબના પાત્ર થશે,જુમ્આ પઢવાથી લોકો એમ સમજશે કે અમોએ ફર્ઝ અદા કરી લીધા,પછી ઝોહર પઢશે નહિં,હાંલાકે જુમ્આ દુરૂસ્ત થઈ નથી,આથી જુમ્આ બંધ કરીને ઝોહર પઢવી જોઈએ. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (આલમગીરીઃ પ/૮૩ , ફતાવા દારૂલ ઉલૂમઃપ/૩પ )
Log in or Register to save this content for later.