Chapter : ઝકાત
(Page : 244)
સવાલ(૩૩૯–૪૪):– ખેતીની ઝકાત ફકત સાહિબે નિસાબને જ લાગુ પડે છે,કે નાના મોટા દરેક ખેડુતને ? આપણાં પોતાના ખેતરમાં આપણે પોતે વાવેતર કરતાં ન હોઈએ અને બીજા પાસે ખેતી કરાવતાં હોઈએ તો ખેતરના માલિકે ખેતીના પાકમાંથીજ ઝકાત આપવી પડે કે કેમ ? બીજું ખેતીની ઝકાત ખાવાની ચીઝો (અનાજ) ઉપરજ આપવી પડે કે બીજી ચીઝો જેવી રીતે કે કપાસ એરંડા વગેરે પાક ઉપર પણ આપવાની રહેશે ? અને એ પાકનો કેટલામો ભાગ આપવાનો રહેશે ?
જવાબ(૩૩૯–૪૪):– જે જમીન પેઢીઓથી મુસ્લિમોની મિલ્કત ચાલી આવે છે તેની ઉપજમાંથી ઉશર (પાકનો દસમો ભાગ) એહતિયાતન આપવો જોઈએ, ચાલીસમો ભાગ નહિં,એના માટે નિસાબ શર્ત (જરૂરી) નથી,જે કાંઈ પાકે તેમાંથી દસમો ભાગ આપવાનો રહેશે. ખાવાની વસ્તુ (અનાજ) હોય કે બીજી વસ્તુ કપાસ એરંડા વગેરે દરેકમાં ઉશર વાજિબ છે, જમીન કોઈને ભાગે આપી હોય તો બન્નેના હિસાબ મુજબ દેવુ પડશે,અને જો જમીન ગણોતે આપી હોય તો ગણોતે રાખનાર ઉપર વાજિબ છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(ઈમદાદુલ ફતાવાઃર/પ૭)
Log in or Register to save this content for later.