કિરા’તમાં અટકવાથી સિજદો.

Chapter : સિજદએ સહવ

(Page : 195)

સવાલ(રર૯–૧૦૯):–     જુમ્‍આની નમાઝમાં બીજી રકાતમાં અલ્હમ્દુ પછી કિરા’તમાં વચમાં અટકી ગયા,લગભગ ત્રણ ચાર આયત પઢાય ત્યાં સુધી ખામોશ રહયા,પછી યાદ આવતાં આયત પુરી કરી,અને નમાઝ અદા કરી,હવે તેમાં સહવનો સિજદો કરવો પડે કે નહિં ?

જવાબ(રર૯–૧૦૯):–     દર્શાવેલ બિનામાં સહવનો સિજદો વાજિબ છે,ભલેને કોઈએ લુકમો આપ્યો ન હોય,કારણ કે એક રૂકન અદા કરવા બરાબર વિચારમાં અટકવાથી સહવનો સિજદો લાગુ પડશે, જો કર્યો ન હોય તો નમાઝ ફરીથી પઢવી પઢશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ર/પ૬૧. મરાકિયુલફલાહઃ પેજ–૧૧૩)

Log in or Register to save this content for later.