Chapter : જેનાથી નમાઝ ફાસિદ થાય
(Page : 179)
સવાલ(૧૯૩–૭૩):– સામાન્ય રીતે માણસ જમાઅતમાં રૂકૂમાં મળે તો તેને તે રકાત મળેલી ગણાય,ત્યાં સુધી કે તેના હાથ ગુઠણને અટકી ગયા,અને ઈમામ સા.રૂકૂઅમાંથી ઉભા થાય તો પણ તે માણસને તે રકાત મળેલી ગણાય છે,એક માણસ ચાર રકાતવાળી નમાઝમાં બીજી રકાતમાં આ રીતે મળયો કે રૂકૂઅમાં જતાં તેના હાથ ગુંઠણ સુધી પહોંચી ગયા,ઈમામ સાહબે ” સમીઅલ્લાહુ લિમન હમિદહ” પઢી ઉભા થયા,તે માણસ પણ રૂકૂઅમાંથી ઉઠયો,ઈમામ સાહબે ચાર રકાત પુરી કરી,ત્યારે પેલો માણસ પોતાની બાકીની નમાઝ પુરી કરવા ઉઠયો,તેણે બે રકાત પઢી,પહેલી રકાત પઢીને રૂકૂઅ કર્યો, પછી બીજી રકાત પુરી કરી કાયદો કરી સલામ ફેરવી. તો પૂછવાની વિગત એ કે તે માણસને બીજી રકાત મળી ચુકી હતી,એક જ રકાત બાકી હતી,ચોથી રકાતમાં કાયદો ફર્ઝ છે,બકદરે તશહહુદ (અત્તહિય્યાત પઢે એટલી વાર) બેસવું ફર્ઝ છે.પણ તેણે તે કર્યો નથી,તો તેવી સૂરતમાં તે માણસની નમાઝ થઈ ગઈ કે નહિ ? અમૂક લોકો કહે છે ઈમામના આખરી કાયદા સાથે તેણે કાયદો કરી લીધો હોય તેની નમાઝ થઈ ગઈ,જયારે અમૂક કહે છે કે તેમાં છેલ્લો કાયદો પોતાની પહેલી રકાતમાં હતો,તેણે કર્યો નહિ, જેથી તેની નમાઝ થઈ નહિં ?
જવાબ(૧૯૩–૭૩):– રૂકૂઅમાં ઈમામ સાહબ સાથે મેળાપથી રકાત મળી ગઈ, સલામ બાદ છુટી ગયેલ એક જ રકાતની કઝા કરીને છેલ્લો કાયદો કરીને નમાઝ પુરી કરવાની હતી,એના બદલે સદરહુ બે રકાત પઢી છેલ્લો કાયદો ફર્ઝ છુટી ગયો, જેથી નમાઝ ફાસિદ થઈ ગઈ,લોટાવવી પડશે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે. (શામીઃ ર/૧૩પ)
Log in or Register to save this content for later.