Chapter : કઝા નમાઝ
(Page : 191)
સવાલ(ર૧૯–૯૯):– સવારની નમાઝ કઝા બાકી હોય,અને ઝોહરની નમાઝના ટાઈમે મસ્જિદમાં જઈએ,તો પ્રથમ બે ફરજ અદા કરવી જોઈએ કે ચાર સુન્નત ? એક ભાઈનું કહેવું છે કે જયાં સુધી નમાઝ સિરે બાકી હોય ત્યાં સુધી બીજી નમાઝ થતી નથી,ખુલાશો લખશો.
જવાબ(ર૧૯–૯૯):– પ્રથમ કઝા પઢી લેવી જોઈએ,જો સદરહુ ભાઈ તર્તીબવાળો હોય તો જયાં સુધી કઝા નમાઝ પ્રથમ પઢશે નહિં,તેની ટાઈમની બાકી નમાઝ અદા થશે નહિં,અને જો તર્તીબવાળો ન હોય તો કઝા સિરે હોવા છતાં ટાઈમ પરની નમાઝ અદા થઈ જશે,પરંતુ બાકી કઝા નમાઝની પ્રથમ ફિકર હોવી જોઈએ. એજ અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ર/પ૩૦.તથા પ૩૧ હિદાયાઃ ૧/૧પ૪)
Log in or Register to save this content for later.