કઝા પ્રથમ પઢે પછી સુન્નત.

Chapter : કઝા નમાઝ

(Page : 191)

સવાલ(ર૧૯–૯૯):–        સવારની નમાઝ કઝા બાકી હોય,અને ઝોહરની નમાઝના ટાઈમે મસ્જિદમાં જઈએ,તો પ્રથમ બે ફરજ અદા કરવી જોઈએ કે ચાર સુન્‍નત ? એક ભાઈનું કહેવું છે કે જયાં સુધી નમાઝ સિરે બાકી હોય ત્યાં સુધી બીજી નમાઝ થતી નથી,ખુલાશો લખશો.

જવાબ(ર૧૯–૯૯):–        પ્રથમ કઝા પઢી લેવી જોઈએ,જો સદરહુ ભાઈ તર્તીબવાળો હોય તો જયાં સુધી કઝા નમાઝ પ્રથમ પઢશે નહિં,તેની ટાઈમની બાકી નમાઝ અદા થશે નહિં,અને જો તર્તીબવાળો ન હોય તો કઝા સિરે હોવા છતાં ટાઈમ પરની નમાઝ અદા થઈ જશે,પરંતુ બાકી કઝા નમાઝની પ્રથમ ફિકર હોવી જોઈએ. એજ અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ  ર/પ૩૦.તથા પ૩૧  હિદાયાઃ ૧/૧પ૪)

Log in or Register to save this content for later.