Chapter : કઝા નમાઝ
(Page : 192)
સવાલ(રર૩–૧૦૩):– હાલ મારી ઉમર ર૬ (છવ્વીસ) વરસની છે,મારી ઘણી નમાઝો છુટી ગયેલી છે,માત્ર બહુ થોડી અદા થઈ હશે,કેટલી અદા થઈ છે અને કેટલી બાકી રહી છે ? તેની ચોકકસ ખબર નથી,છુટી ગયેલી નમાઝો અદા કરવાનો મારા દિલમાં ઈરાદો થયો છે,તો મારે એ નમાઝો કેવી નિય્યત કરીને પઢવી ? ચોવીસ કલાકમાં કયારે પઢવી ? ફર્ઝ નમાઝની જ કઝા કરવી પડશે કે પછી સુન્નત અને વાજિબની પણ ? બધી નમાઝોનું પુરે પુરૂ કર્ઝ અદા થઈ ગયું છે એવું કયારે સમજવું ? ઈશરાક, ચાશત કે તહજજુદ અદા કરવી સારી કે છુટેલી ફર્ઝ નમાઝ અદા કરવી સારી ?
જવાબ(રર૩–૧૦૩):– ખુદાપાકનો શુક્ર અદા કરો કે તેણે કઝાએ ઉમ્રીની તૌફીક તમને આપી,એ ખુદાપાકનું કર્ઝ છે,જેમ બને તેમ વહેલી તકે ચુકવી દેવું જોઈએ,બીજા ફર્ઝો, રોઝા,ઝકાત વિગેરે જે માથે બાકી હોય તેની પણ કઝા કરી લેવી જોઈએ,કયારે મૌત આવી જાય કહી શકાય નહિં, કઝા થયેલી નમાઝોની ચોકકસ ગણત્રી યાદ ન હોય તો ગાલિબ ગુમાન (વધુ અનુમાન) ઉપર અમલ કરવો પડશે કે તમારૂ દિલ ગવાહી દે કે હવે બધી કઝા થઈ ગઈ, કઝા કેવળ ફર્ઝો અને વાજિબોની છે,સુન્નતોની કઝા નથી,એટલે ઈશાંના ફર્ઝ સાથે વિતરની કઝા કરવી પડશે, નવાફિલ (ઈશરાક,ચાશત, તહજજુદ વિગેરે) કરતાં કઝા નમાઝ પઢવી બેહતર છે, કારણ કે કઝા બાકી રહી જશે તો પકડ થશે,નવાફિલ બાબત પકડ નથી,જયારે ફુરસદ મળે કઝા પઢયા કરવી જોઈએ. સમય નકકી નથી,વહેલી તકે માથેથી એ બોઝ ઉતારી દેવો જોઈએ,દરેક નમાઝ બાદ એક એક કઝા પઢવામાં લાંબી મુદ્દત લાગશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(શામીઃ ર/પર૪)
Log in or Register to save this content for later.