Chapter : કઝા નમાઝ
(Page : 189)
સવાલ(ર૧૬–૯૬):– મરનારે મરતી સમયે એ વસિય્યત કરી કે મારી જે નમાઝ કઝા થઈ છે,તેના બદલામાં અર્ધો સાઅ્ ઘઉં આપજો,તો શું એ કરજ છે ?અથવા વસિય્યત ? અને તે હુકૂકુલ્લાહમાંથી છે કે હકૂકુલ ઈબાદમાંથી ?
જવાબ(ર૧૬–૯૬):– મર્હૂમ ઉપર જેટલી નમાઝો (ફર્ઝ અને વિતર વાજિબ) કઝા હોય તે દરેક નમાઝનો ફિદયો પોણા બે કિલો ઘઉં દેવો પડશે,એક દિવસની પાંચ નમાઝ અને વિતર સાથે છ ફિદયા દેવા પડશે,એ વસિય્યત હુકૂકુલ્લાહમાંથી છે, હુકૂકુલ ઈબાદમાંથી નથી,એટલે છોડેલા માલમાંથી પહેલાં કફન,દફન અને કર્ઝ અદા કરવામાં આવે તે પછી જે કંઈ બચે તેના એક તૃત્યાઉંશ ભાગમાંથી વસિય્યત પુરી કરવામાં આવે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ર/પ૩ર. આલમગીરી)
Log in or Register to save this content for later.