Chapter : કઝા નમાઝ
(Page : 190)
સવાલ(ર૧૭–૯૭):– મારો જન્મ તા. ૧પ–પ–૧૯૪૭ છે,તો મારે જીવન ભરની છુટેલી નમાઝોની કઝા કઈ તારીખથી પઢવી પડશે,એક માણસ કઝાએ ઉમ્રી પઢે છે, અને નિય્યત આ પ્રમાણે કરે છે, ”હું નમાઝ પઢુ છું ચાર રકાત ઝોહર,અસર વિગેરેની ફર્ઝ, ઉમરની કઝા,જો મારી ઉમરમાં નમાઝ ફરજ થઈ ગયા પછી તેમાની ઝોહર,અસર વિગેરે ગઈ હોય;” તે પ્રમાણે નિય્યતમાં તારીખ,વાર બીજુ કાંઈ કહેતો નથી,તો આ પ્રમાણેની નિય્યત ખરી છે કે કેમ ? તથા કેવી રીતે પઢવી તે લખશો. ?
જવાબ(ર૧૭–૯૭):– જેટલી નમાઝો કઝા થઈ હોય અને યાદ હોય તો તે મુજબ કઝા પઢતો રહે કે મારી જેટલી નમાઝો ગઈ છે, તેના પહેલા દિવસની ફજરની, કે પહેલા દિવસની ઝોહરની,એ પ્રમાણે અનુક્રમે પઢતો રહે,ફરી એ મુજબ બીજા દિવસની,ત્રીજા દિવસની,વિતરની ત્રણ રકાત પણ વાજિબ છે,તેની પણ કઝા જરૂરી છે. દરરોજ પાંચ વખતની નમાઝ પઢે,અને તે સમયે વખત મળતો હોય તો છુટેલી કઝા નમાઝો પણ તે જ મુજબ સાથે કઝા પઢતો રહે,અથવા જયારે પણ ફુરસદ મળે તે વખતે ઉપર જણાવ્યા મુજબ કઝા પઢતો રહે,ફર્ઝ કઝા નમાઝ ફજરના વખતે તેમજ અસર પછી પણ પઢી શકાય. (આ બન્નેવ વખતોમાં માત્ર નફલ નમાઝ મકરૂહ છે.)
નમાઝો કઝા હોવાની ચોકકસ યાદી ન હોય તો બાલિગ (જવાન) થયા ત્યારથી શરૂ કરે,જો વધુ કઝા નમાઝ પઢાય હશે તો એનાથી નફલનો સવાબ જરૂર મળશે,એટલે વધુ પઢેલી નકામી જશે નહિં,બલ્કે કયામતના દિવસે નમાઝોનો હિસાબ થશે ત્યારે લાભકારી થઈ પડશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.( ઈમદાદુલ ફતાવાઃ ૧/પ૦૬)
Log in or Register to save this content for later.