Chapter : ઝકાત
(Page : 236)
સવાલ(૩ર૧–ર૬):– કોઈ પણ કંપનીના શેરો ખરીદ કરેલા હોય,જેની આવક અને અસલ કિંમત કદાપી એક સરખી હોતી નથી. બજારના હિસાબે અસલ કિંમતમાં વધઘટ થયા કરે છે,અને આવક પણ એજ પ્રમાણે વધઘટ થતી રહે છે,એવી કંપનીના શેરો અંગે રોકેલી મુંડી ઉપર ઝકાત લાગુ પડે છે કે નહિં ? ઉપરાંત મજકૂર શેરની આવક ઉપર ઝકાત લાગુ પડશે કે નહિં ? અથવા બન્ને ઉપર ઝકાત માફ છે ? શરીઅતની રૂએ એનો ખુલાસો આપશો ?
જવાબ(૩ર૧–ર૬):– જે શેરવાળી કંપની વેપાર કરતી હોય,જેમકે સુતર, કાપડ,ટાટ વિગેરે,એવી કંપનીના શેરોની કિંમત ઉપર ઝકાત વર્ષ વિતવાથી લાગુ પડે છે, અને જે કંપની સ્ટીમરો,વહાણો,મોટરો ભાડે ફેરવવાનું કામ કરે છે,તો તે કંપનીના શેરોની કિંમત પર ઝકાત લાગુ પડતી નથી,ઝકાત વાજિબ થવાના સમયે જે કિંમત હશે તે માન્ય ગણાશે,અને મજકૂર કંપનીઓમાં, ઝમીન,મકાન, મશીનરી હોય છે,તે બાદ કરી ફરી શેરોની કિંમતની ઝકાત આપવી પડશે, (કંપની ના રિપોર્ટમાં એ સર્વે માહિતી આપવામાં આવે છે.) આવક એટલે ડીવીડન્ડ વર્ષ દરમ્યિાન ખર્ચી કાઢયું હોય તો તે પર ઝકાત નથી,અને જો ડીવીડન્ડ જમા રાખ્યું હોય તો વર્ષ વિતવાથી તેની પણ ઝકાત આપવી પડશે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.
(આલમગીરીઃ ૧/૧૭૪. નિઝામુલ ફતાવાઃ પેજ–૧૦૮)
Log in or Register to save this content for later.