Chapter : જુમ્આની નમાઝ
(Page : 211)
સવાલ(ર૬૪–૧૪૪):– ખુત્બામાં ઉર્દૂ ઝબાનની શાયરીઓ તેમજ તર્જુમો મિમ્બર ઉપર અરબી ઝબાનના સાથે પઢવું કેવું છે ? ખુત્બા માટે કઈ ખુત્બાની કિતાબ ભરોષાપાત્ર છે ?
જવાબ(ર૬૪–૧૪૪):– ખુત્બો અરબી ઝબાનમાં જ થવો જોઈએ,અને એ જ સુન્નત છે,સહાબા અરબ દેશો વિના બીજા દેશોમાં જતા હતા,અને તેમની ઝબાન અરબી ન હતી,તે છતાં સહાબા હંમેશા ખુત્બા,વાઅઝ,નસીહત અરબી ઝબાનમાં જ ફરમાવતા હતા,એટલા માટે ખુત્બામાં અશઆર (શાયરીઓ) તેમજ તર્જુમો મેળવીને પઢવું સુન્નતના ખિલાફ છે,અને તેને જરૂરી સમજીને કે ન કરવાથી લોકો બુરૂ કહેશે તે બિદઅત્ છે. અગર તર્જુમો કરવાનો શૌખ હોય તો નમાઝ પછી સંભળાવી દે, ખુત્બામાં વધારો ન કરે,ખુત્બામાં હર મહીનાની બુઝુર્ગી અને મહીનાનું નામ બયાન કરવું જરૂરી નથી,ખુત્બો ખુદા તઆલાની હમ્દો સના,દુરૂદ શરીફ વાઅઝો નસીહત વિગેરે કામો પર હોવું જોઈએ, મુસ્તહબ આ છે કે હર મહીના હર હફતા (અઠવાડિયા)નો જુદો જુદો ખુત્બો હોય,અને એના માટે હઝરત થાનવી (રહ.) નો ખુત્બો”મજમુઅતુલ ખુતુબ” ઘણો સારો છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(મુસવ્વા શર્હે મોઅત્તા બ હવાલાએ નિઝામુલ ફતાવા પેજ નં.–૭૮)
Log in or Register to save this content for later.