ઈમામ સાથે એક રકાત મળે તો ?

Chapter : જેની રકાતો છુટેલ હોય

(Page : 174)

સવાલ(૧૮ર–૬ર):– જે માણસની ત્રણ રકાત ગઈ હોય અને ચોથી રકાતમાં આવી નમાઝ પઢે તો ઈમામસાહબના  સલામ પછી ઉભા થઈ અલ્હમ્દો પછી સૂરત મેળવવી કે નહિ? કઈ રકાતમાં સૂરત મેળવવી? અને તે માણસે કુલ કેટલા કાયદા કરવા? ઈમામ સાહબના કાયદા સાથે કુલ કેટલા કાયદા થશે?

જવાબ(૧૮ર–૬ર):–         પેશ ઈમામની સલામ બાદ ઉઠીને છુટી ગયેલ રકાતોમાં સૂરત મેળવે, પછી કાયદો કરે, પછી ઉઠીને બે રકાતો પઢે, છુટી ગયેલી રકાતોમાં તે મુનફરિદ (એકલો પઢનાર) લેખાશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.    (શામીઃર/૩૪૭, કાજીખાનઃ૧/પ૧)

Log in or Register to save this content for later.