ઈમામ પાછળ સૂરએ ફાતિહા પઢવી.

Chapter : ઈમામ પાછળ કિરાઅત પઢવી

(Page : 181)

સવાલ(૧૯૭–૭૭):–        પાંચ ફર્ઝ નમાઝોમાં ઈમામ સાહબની પાછળ નમાઝ પઢનારે ઈમામ સાહબ પાછળ અલ્હમ્દુ અને પછી કોઈ આયત પઢે છે,તો પાછળ નમાઝ પઢનારાઓએ બન્‍ને વસ્તુઓ ચુપચાપ સાંભળવાની છે,કે મનમાં સાથે પઢતા જવાનું છે ?

જવાબ(૧૯૭–૭૭):–        મુદરિક મુકતદી (પુરી નમાઝ ઈમામ પાછળ પઢનાર જેની કોઈ રકાત છુટી ન હોય) ઉપર હનફી સરણીમાં પાંચેવ નમાઝોમાંથી કોઈ પણ નમાઝમાં (જેહરી હોય કે સિર્રી) આગલી રકાતોમાં કે પાછલી રકાતોમાં કિરાઅત છે જ નહિં, ચુપચાપ રહેવાનો હુકમ છે.

                કારણ કે ઈમામની કિરાઅત મુકતદીઓ માટે પણ કાફી છે,જેમકે હદીષ શરીફમાં છે,મન કાન લહુ ઈમામુન ફ કિરાઅતુલ ઈમામે કિરાઅતુન લહુ” અર્થાત જેનો ઈમામ હોય તો ઈમામની કિરાઅત તેના માટે કાફી છે.

(મિશ્કાત શરીફઃ પેજ–૮૧ હાશિયા નં.–૬)

                અલબત્ત જેની રકાતો છુટી હોય તો છુટેલી રકાતોમાં મુનફરિદ (એકલો પઢનાર) લેખાશે,જેથી કિરાઅત પઢવી પડશે,ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.           (હિદાયાઃ૧/૧ર૦,  શામીઃ ર/૧૯૦ તથા ૧૯૧)

Log in or Register to save this content for later.