ઈમામ પાછળ સૂરએ ફાતિહા પઢવી.

Chapter : ઈમામ પાછળ કિરાઅત પઢવી

(Page : 181)

સવાલ(૧૯૬–૭૬):– જમાઅત સાથે નમાઝ પઢતા હોઈએ ત્યારે મુકતદીએ ઈમામની સાથે કિરાઅત પઢવી નહિં,ઘણાં લોકો એમ કહે છે,કે સૂરએ ફાતિહા તો મુકતદીએ પણ પઢવી જોઈએ,પણ હું એમ માનુ છું કે આપણાં ઈમામ હઝરત અબૂહનીફા (રહ.) ના મસ્લક પ્રમાણે ન પઢવી જોઈએ,તો મારી માન્યતા ખરી છે કે નહિ ? તેનો ખુલાશો કરી આભારી કરશોજી.

જવાબ(૧૯૬–૭૬):–        બરાબર છે,હનફી સરણીમાં પેશ ઈમામની કિરાઅત મુકતદી માટે કાફી છે,મુકતદી ઉપર કિરાઅત ફર્ઝ નથી,બલ્કે મકરૂહે તહરીમી છે,જેમકે હદીષમાં છે,”મન કાન લહુ ઈમામુન ફ કિરાઅતુલ ઈમામે કિરાઅતુન લહુ ” અર્થાત જેના ઈમામ હોય તો ઈમામની કિરાઅત એના માટે કાફી છે. જેહરી નમાઝ હોય કે સિર્રી,સૂરએ ફાતિહા પણ પઢે નહિં,ષના પઢીને ચુપ રહે,બીજા ઈમામોના મસ્લકમાં દરેક ઉપર ફાતિહા પઢવી ફર્ઝ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.                (શામીઃ ર/ર૬૬. હિદાયાઃ ૧/૧ર૦)

Log in or Register to save this content for later.