Chapter : ઈદના મસાઈલ
(Page : 215)
સવાલ(ર૭૩–૧પ૩):– હમો રહીએ છીએ તે મહોલ્લા સાથે બીજા બે મહોલ્લા છે,ત્રણેવ મહોલ્લાની નમાઝોની જમાઅત અલગ થાય છે તે હિસાબે ઈદની નમાઝ પણ અલગ જમાઅત સાથે થાય છે. ઈદની નમાઝ એટલી નજીક થાય છે કે એક બીજાની તકબીર સંભળાય છે,હમારા મહોલ્લાવાળાઓનું કહેવું એમ છે કે બધા હમો સાથે હમારા ઈદગાહની જગ્યા ઉપર પઢીએ, પણ એક બીજાને આ વાત પસંદ આવતી નથી,આવા ખ્યાલના માણસો માટે શું હુકમ છે ?
જવાબ(ર૭૩–૧પ૩):– મુસ્તહબ એ છે કે ત્રણેવ મહોલ્લાવાસીઓ એક જગ્યાએ જે સૌને માટે અનુકુળ હોય એકત્રિત થઈ ઈદની નમાઝ પઢે,બધા મુસલ્લીઓ, મુસાફિરોનો ખ્યાલ રાખવો જોઈએ,દીનની વાતમાં ખોટી હટાગ્રહ રાખવી ન જોઈએ,ઈદગાહમાં એક માર્ગે જવું અને બીજા માર્ગે પાછા ફરવું મુસ્તહબ છે, હદીષમાં ફઝીલત બયાન થઈ છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(શામીઃ ૩/૪૯)
Log in or Register to save this content for later.