Chapter : સફરની નમાઝ
(Page : 198)
સવાલ(ર૩૯–૧૧૯):– હમોએ(૪૮) અડતાલીસ માઈલનો સફર કર્યો નથી અને ૪૮ માઈલનો ઈરાદો પણ કર્યો નથી, પરંતુ હમો અહિયાંથી એટલેકે સુરતથી વલસાડ ગયા અને ત્યાંથી ભડેલી–ગણદેવી અને ધમડાછા ગયા, ધમડાછામાં હમોએ ઈશાંની નમાઝ પઢી અમોએ પુરી નમાઝ પઢી એક ભાઈએ કહયું તમોએ કસર કેમ ન કરી? તમે આ બધી જગ્યાએ ફરી આવ્યા એટલે ૪૮ માઈલ થઈ ગયા અને ખરી રીતે ૪૮ માઈલના અંદર હતા.
જવાબ(ર૩૯–૧૧૯):– ઉકત બાબતમાં કસર (ચારના બદલે બે રકાત) નથી તમે પઢી એ બરાબર છે. કારણકે ૪૮ માઈલ મુસાફરીનો ઈરાદો ન હતો, પછી ભલેને અનેક ઠેકાણે જવાથી ૪૮ માઈલ થયા હોય! એથી મુસાફીર લેખાશે નહિં. અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃર/૬૦૧, ઈમદાદુલ ફતાવા :૧/પ૯૬ )
Log in or Register to save this content for later.