અંજુમન મારફતે ઝકાત આપવાનો હુકમ.

Chapter : ઝકાત

(Page : 226)

સવાલ(ર૯૬–૧):–  અમોએ એક અંજુમનની સ્થાપના કરી છે,તેના હેતુઓ; ગરીબ નિરાધારની કફન–દફનની વ્યવસ્થા કરવી,ગરીબ તાલિબે ઈલ્મ માટે કુર્આન મજીદ,કિતાબો,તેમજ સ્કોલર્શીપ આપવી વિગેરે,નિરાધાર લોકોને અનાજ તેમજ કપડાં તેમજ નાણાંકિય મદદ કરવી,આ પ્રકારના હેતુઓ છે, કુર્બાનીના જાનવરનું ચામડું શું અંજુમનમાં આપી શકાય ? તેમજ સદકએ ફિત્ર પણ મજકૂર અંજુમનમાં આપી શકાય ? શું અમારી અંજુમન ઝકાતનાં નાણાં લઈ શકે છે ?

જવાબ(ર૯૬–૧):– ઝકાત,સદકએ ફિત્ર,બીજા સદકએ વાજિબહના ખરા હકદાર,ગરીબો તથા મોહતાજો છે,આ નાણાં અંજુમનમાં આપ્યા હોય તો અંજુમનના સંચાલકોએ ઉપર લખ્યા મુજબ,ગરીબો,મોહતાજો,તેમજ ગરીબ તલ્બાઓ વિદ્યાર્થીઓને આપવું જોઈએ,એ સિવાય બીજા કોઈ કામમાં વાપરવું જાઈઝ નથી,એ નાણાંથી કોઈને પગાર આપવો કે કોઈ કામનું મહેનતાણું આપવું,ઘરનું ભાડું આપવું જાઈઝ નથી,એ નાણાં ગરીબને આપી માલિક બનાવવામાં આવે,પછી તે પોતાના જે કાર્યમાં ખર્ચ કરવા ઈચ્છે ત્યાં ખર્ચ કરી શકે છે,અંજુમનને લિલ્લાહ મદદરૂપી જે રકમ મળી હોય તે બધા કામમાં ખર્ચ કરી શકે છે,કુર્બાની કે અકીકાના ચામડાં કોઈ પણ માલદાર અથવા ગરીબને આપવું જાઈઝ છે,પરંતુ એ ચામડાં વેચવામાં આવ્યાં હોય તો એની કિંમતના નાણાં સદકા તરીકે લેખાશે, ફરી તે ગરીબને જ આપવું જરૂરી છે, ચામડાં અંજુમન કે કોઈ સંસ્થામાં આપ્યા હોય તો તેનો સંચાલક અથવા સેક્રેટરી, વકીલ તરીકે લેખાશે,અને વેચેલ ચામડાંની કિંમત સદકા થશે, અને તે ગરીબને આપવું જરૂરી છે,બીજા કાર્યમાં ખર્ચ કરવા જાઈઝ નથી, જો ચામડાંના માલિકે કોઈ વ્યકિતને ચામડું બક્ષીશ આપી માલિક બનાવ્યો હોય તો તે ચાહે તે કાર્યમાં નાણાં ખર્ચ કરી શકે છે,કારણ કે તે ચામડાનો માલિક થયો હતો, પોતાની ખુશીથી જયાં ચાહે આપે,અને ખર્ચ તેમજ ઝકાત સદકાના નાણાં કોઈ ગરીબને માલિક બનાવી આપી દીધા હોય તો તેને અધિકાર રહે છે કે ઈચ્છે ત્યાં ખર્ચ કરે,અંજુમનના (ખાતાવહીના) ચોપડામાં ઝકાત,સદકાની આઈટમ અને લિલ્લાહ બક્ષીશ આઈટમ અલગ રાખવામાં આવે,ફરી તેને શરીઅતના હુકમ અનુસાર ખર્ચ કરે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(શામી,૩/ર૮૩,  હિદાયાઃ ૧/ર૦૪)

Log in or Register to save this content for later.