રોઝહ તોડવાથી કફફારાના મસાઈલ

Chapter : રોઝહ તોડવાથી કફફારાના મસાઈલ

(Page : 52 to 56)

કફફારો (પ્રાયશ્ચિત) ક્યારે વાજિબ થાય છે ?

રોઝહ યાદ હોવાની હાલતમાં જો કોઈ મુકલ્લફ (સુસજ્જિત) શખ્સ રમઝાનુલ મુબારકમાં જાણીબુઝીને શંકા વગર કોઈ દિલપસંદ ખોરાક અથવા ફાયદાકારક દવા ખાય અને પીને અથવા સંભોગ કરી રોઝહ તોડી નાખે તો તેના પર કઝા અને કફફારો બન્ને જરૂરી ઠેરશે. (કિતાબુલ મસાઈલ : ર/૯ર, ઝુબ્દતુલ ફતાવા : ૪/૩૭૯)

સમાગમના કફફારામાં વીર્યસ્ખલન શર્ત નથી

સમાગમ (સંભોગ)માં સોપારી (લિંગનો આગળનો ભાગ) છુપાઈ જાય તો કઝા અને કફફારો બંને લાઝિમ છે, ભલેને વીર્ય નીકળ્યું હોય કે ન નીકળ્યું હોય. (કિતાબુલ મસાઈલ : ર/૯ર)

કફફારો શું છે ?

રમઝાનુલ મુબારકનો રોઝહ તોડવાનો કફફારો આ છે કે ગુલામ (નોકર) યા બાંદી આઝાદ કરે, જો આ શક્ય ન હોય જેમ કે આજનો યુગ છે તો લગાતાર બે માસના રોઝાઓ રાખે કે દરમિયાનમાં એક દિવસ પણ રજા ન હોય, નહિતર નવેસરથી રોઝા રાખવા પડશે અને જો આની પણ તાકાત ન હોય તો સાઠ મિસ્કીનોને બંને સમય પર (અર્થાત સવાર–સાંજ) પેટ ભરી ખાવા ખવરાવે. (કિતાબુલ મસાઈલ : ર/૯ર)

ખાવા ખવરાવવામાં નિરંતર જરૂરી નથી

જો કોઈ શખ્સ સાઠ મિસ્કીનોને ખાવું ખવરાવવા વડે કફફારો અદા કરી રહયો છે તો તેના માટે નિરંતર અને લગાતાર જરૂરી નથી, બલકે અલગ અલગ સમયોમાં પણ મિસ્કીનોને ખાવા ખવરાવી શકે છે. (કિતાબુલ મસાઈલ : ર/૯૩)

એક ફકીરને સાઠ દિવસ ખાવા ખવરાવવું

જો એક જ મિસ્કીનને સાઠ દિવસ સુધી સવાર–સાંજ ખાવા ખવરાવે તો પણ કફફારો અદા થઈ જશે. (કિતાબુલ મસાઈલ : ર/૯૩)

બહુ નાની વયના છોકરાને ખવડાવવાથી કફફારો અદા નહિ થાય

નાનું બાળક (જે કરીબુલ બુલૂગ અર્થાત પુખ્ત વયના નજીક ન હોય) તેને ખવરાવવાથી કફફારો અદા નહિ થાય. (કિતાબુલ મસાઈલ : ર/૯૩)

ઓરતના હૈઝના દિવસો નિરંતરમાં અડચણરૂપ નથી

જો ઓરત પર લાઝિમ થઈ જાય તો તેના માસિક (નાપાકી)ના દિવસો ઉપર મજબૂરી સમજવામાં આવશે અને તે દિવસોમાં રોઝહ ન રાખવાથી તેના નિરંતર અને લગાતાર હોવા પર કોઈ પ્રકારનો ફરક નહિ પડે, પરંતુ પાક થયા પછી તરત જ રોઝાઓ લગાતાર રાખવા પડશે, જો વિલંબ કર્યો તો નવેસરથી પૂરા રોઝાઓ રાખવા પડશે. (કિતાબુલ મસાઈલ : ર/૯૩)

મનપસંદ શખ્સનું થૂંક ગળવું

જો કોઈ બીજાનું થૂંક ગળી જાય તો રોઝહ તૂટી જશે અને કઝા લાઝિમ થશે, કફફારો નહિ. આવી જ રીતે જો પોતાનું થૂંક હાથમાં લઈ પછી ગળી જાય તો રોઝહ તૂટી જશે, કફફારો લાઝિમ નહિ થાય.

પરંતુ જો પોતાના મનપસંદ માણસ દા.ત. પત્ની અથવા નજીકના મિત્રનું થૂંક ગળી જાય તો કફફારો પણ જરૂરી ઠરશે. (ફતાવા દારુલ ઉલૂમ : ૬/૪૩૩, કિતાબુલ મસાઈલ : ર/૯૪)

કાચો ગોશ્ત યા ચરબી ખાવી

રોઝાની હાલતમાં જાણીજોઈને કાચો ગોશ્ત અથવા ચરબી ખાવાથી પણ કઝા અને કફફારો બંને લાઝિમ થશે. (ફતાવા દારુલ ઉલૂમ : ૬/૪૪૧, કિતાબુલ મસાઈલ : ર/૯૪)

ગેરે રમઝાનમાં રોઝહ તોડવાથી કફફારો નથી

ગેરે રમઝાનુલ મુબારકમાં રોઝહ તોડવાથી ફક્ત કઝા લાઝિમ થશે, કફફારો નહિ, ભલેને તે રોઝહ કઝાનો હોય અથવા નફલી હોય, બન્નેનો આ જ હુકમ છે. (કિતાબુલ મસાઈલ : ર/૯૪)

Log in or Register to save this content for later.