Chapter : રોઝહને ફાસિદ ન કરનારા કામો
(Page : 23 to 37)
ભૂલથી ખાવું–પીવું અને સંભોગ કરવો
ભૂલથી ખાવા–પીવા અને સંભોગ કરવોથી રોઝહ તૂટતો નથી. (બુખારી શરીફ : ૧/રપ૯, મુસ્લિમ શરીફ : ૧/૩૬૪)
રોઝામાં ખૂન ટેસ્ટ કરાવવું
રોઝાની હાલતમાં ખૂન કાઢી ટેસ્ટ કરાવવાથી રોઝહ ફાસિદ નહિ થાય, પરંતુ એટલું વધારે ખૂન ન કાઢવામાં આવે કે કમજોરી ગાલિબ અને પ્રબળ થઈ જાય. (કિતાબુલ મસાઈલ : ર/૭૭)
રોઝાની હાલતમાં દિલ (હાર્ટ)ની બીમારીવાળાએ જીભ નીચે ગોળી મૂકવી અને ચૂસવી જાઈઝ નથી.
જો રોઝાની હાલતમાં હાર્ટની તકલીફ થવાથી જીભ નીચે ગોળી મૂકવામાં આવશે તો થૂંક સાથે ગોળીના તત્વો અને કણો ગળામાં જવાથી બચવું મુશ્કેલ છે, માટે રોઝહ તૂટી જશે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૩૧૮)
કુતરું કરડયા પછી આપવામાં આવતા ઈન્જેકશનનો હુકમ
જ્યારે અનેક મુસ્લિમ ડૉકટરોની તહકીક (સંશોધન) અને અભિપ્રાય મુજબ કુતરું કરડયા પછી દૂંટીની આસપાસ આપવામાં આવતા ઈન્જેકશનની દવા જઠરમાં પહોંચતી નથી, બલકે જઠર બહાર ચરબીમાં જ પ્રસરી જાય છે. તો રોઝાની હાલતમાં લેવામાં આવતા બીજા ઈન્જેકશનોની જેમ મજકૂર ઈન્જેકશનથી રોઝહ તૂટશે નહિ. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૩૯૯)
રોઝામાં ઈન્જેકશન લગાડવું
જો રોઝા દરમિયાન ઈન્જેકશન લગાડયું તો તેનાથી રોઝહ પર કોઈ અસર નહિ પડે, પરંતુ જો ઈન્જેકશન એવું હોય કે દવા ડાયરેકટ દિમાગ યા પેટ સુધી પહોંચતી હોય તો રોઝહ તૂટી જશે. (કિતાબુલ મસાઈલ : ર/૭૮, જવાહિરુલ ફિકહ : ૧/૩૭૯)
રોઝામાં પેઢયા (મસોડા) પર ઈન્જેકશન લગાડવું
રોઝાની હાલતમાં દાંત, દાઢ કાઢવા માટે જે ઈન્જેકશન મસોડા પર લગાડવામાં આવે છે તેનાથી રોઝહ તૂટતો નથી. (ઝુબ્દતુલ ફતાવા : ર/૩રર)
રોઝામાં ગ્લૂકોઝ ચઢાવવો
રોઝાની હાલતમાં ગ્લૂકોઝ ચઢાવવાથી રોઝહ તૂટશે નહિ, કેમ કે દવા ડાયરેકટ દિમાગ યા પેટ સુધી પહોંચતી નથી, બલકે નસોના માધ્યમે જાય છે, પરંતુ ઉઝર અને મજબૂરી વગર આવું કરાવવું ન જોઈએ. (કિતાબુલ મસાઈલ : ર/૭૮, ઝુબ્દતુલ ફતાવા : ૪/૩૯૧)
રોઝાની હાલતમાં ડાયાલિસીસ કરાવવું
કિડનીના દર્દીઓ બે પ્રકારના ડાયાલિસીસ કરાવે છે :
(૧) પેરિટોનીઅલ ડાયાલિસીસ (Peritoneal Dialysis) જે પેટમાં નળી નાખીને કરવામાં આવે છે, જો કોઈ દર્દી આ પ્રકારનું ડાયાલિસીસ રોઝાની હાલતમાં કરાવવા ચાહે તો કરાવી શકે છે અને તેનાથી રોઝહ તૂટતો નથી, કારણ કે મુસ્લિમ ડોકટરોના અભિપ્રાય મુજબ આ પ્રકારના ડાયાલિસીસમાં પેટમાં ડૂંટીની નીચે એક નળી દ્વારા પ્રવાહી દાખલ કરવામાં આવે છે, પરંતુ તે પ્રવાહી નળી દ્વારા જઠરમાં કે આંતરડામાં જતું નથી, તેનાથી બહાર માત્ર આંતરડાની પરદી અને થેલીમાં પ્રવાહી પહોંચે છે.
(ર) હિમો ડાયાલિસીસ (Hemo Dialysis) : જે સામાન્ય રીતે હાથની નસોમાં બે નીડલ નાખીને કરવામાં આવે છે. ડૉકટરોના બતાવ્યા મુજબ એક સોયથી શરીરમાંથી લોહી નીકળે છે અને ડાયાલાઇઝરમાં સાફ થઈ બીજી સોયથી લોહી પાછું શરીરમાં દાખલ થાય છે. રોઝાની હાલતમાં આ પ્રકારનું ડાયાલિસીસ પણ કરાવી શકાય છે અને તેનાથી રોઝહ પણ તૂટતો નથી, કારણ કે આ પ્રકારના ડાયાલિસીસમાં પણ ગળામાં, જઠરમાં કે આંતરડામાં કોઈ વસ્તુ જતી નથી. હંગામી ડાયાલિસીસ ગળા પાસેથી રગો–નસોમાં અથવા રાન–જાંઘ ઉપરની નસમાં કરવામાં આવે છે, તેનાથી પણ રોઝહ તૂટતો નથી અને રોઝાની હાલતમાં આ પ્રકારનું ડાયાલિસીસ પણ કરાવી શકાય છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૩ર૦)
ઈખ્તિયાર વગર માખી કે મચ્છર ગળામાં ચાલ્યો ગયો
ઈખ્તિયાર (અંકુશ) વગર ગળામાં માખી કે મચ્છર જવાથી રોઝહ તૂટતો નથી. (કિતાબુલ મસાઈલ : ર/૭૮)
આપમેળે ઊલટી થવી
ખુદ બ–ખુદ (આપમેળે) ઊલટી થવાથી પણ રોઝામાં કોઈ ખરાબી આવતી નથી, ભલે ને મોં ભરીને પણ કેમ ન હોય. (કિતાબુલ મસાઈલ : ર/૭૯)
પરંતુ જો આપમેળે ઊલટી થવાથી રોઝહ તૂટી ગયો છે એમ સમજી કે રોઝહ તૂટી ગયો, ખાધું–પીધું તો ફક્ત કઝા વાજિબ થશે, કફફારો (પ્રાયશ્વિત) વાજિબ નહિ થાય. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૩૮ર)
દાંતમાંથી ખૂન નીકળ્યું, પરંતુ ગળામાં ગયું નથી તો …..
દાંતમાંથી ખૂન નીકળ્યું, અને પેટમાં ન ય તો તેનાથી રોઝહ તૂટશે નહિ. (કિતાબુલ મસાઈલ : ર/૭૯)
પરંતુ જો કોઈ માણસને પેઢામાંથી લોહી નીકળ્યા જ કરતું હોય તો આવી બીમારીવાળી વ્યક્તિના ગળામાં સૂવાની હાલતમાં જાણ બહાર, વગર ઈરાદે લોહી ઊતરી જાય તો ગુંજાઈશ છે કે બચી ન શકવાની મજબૂરીના કારણે રોઝહ ન તૂટવાનો હુકમ લગાડવામાં આવે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૩૮૮)
સુબ્હે સાદિકથી પહેલાં સુહબત
સેહરીનો સમય પૂરો થતાં પહેલાં અને સેહરી ખાતાં પહેલાં કે પછી ઓરતથી સોહબત–સંભોગ કરવો જાઈઝ છે અને સેહરી ખાધા પછી સોહબત કરવામાં આવે તો પણ રોઝહ રાખી શકાશે અને તે રોઝહ જાઈઝ અને દુરુસ્ત ગણાશે. અલબત્ત, સેહરીનો ટાઈમ પૂરો થઈ ગયા પછી (અર્થાત સુબ્હે સાદિક થઈ ગયા પછી) સુહબત કરવી જાઈઝ નથી. જો તે પછી સુહબત કરવામાં આવશે તો રોઝહ ફાસિદ થઈ જશે.
અને સુહબત પછી તરત ગુસલ કરવું વાજિબ નથી. ફજરની નમાઝ જમાઅત સાથે મળી જાય એ પ્રમાણે મોડું ગુસલ કરશે તો પણ જાઈઝ છે અને જમાઅતથી નમાઝ છૂટી જાય એટલું મોડું કરવું મકરૂહ અને ગુનાહનું કામ છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૩૮ર)
દાંતમાં ચણાની માત્રામાં ખોરાક લાગેલો રહેવો
જો કોઈ ખોરાક દાંતમાં ચણાની માત્રાથી કમ–ઓછો ફસાયેલો હોય, પછી મોંમાંથી કાઢયા વગર તેને ગળી ગયો તો રોઝહ ફાસિદ થશે નહિ. (કિતાબુલ મસાઈલ : ર/૭૯)
નોંધ : અને જો દાંતમાંથી ખોરાક કાઢી હાથમાં લઈ તેને મોઢામાં લઈ ગળી ગયો તો નિઃશંક રોઝહ તૂટી ગયો. (આલમગીરી : ૧/ર૦ર, કિતાબુલ મસાઈલ : ર/૭૯)
ગુસલની ઠંડક બદનની અંદર પહોંચવી
ગરમી અને તરસના લીધે ગુસલ કરવું કરાહત વગર દુરુસ્ત છે. ભલેને પાણીની ઠંડક બદનના અંદરના ભાગમાં પહોંચી રહી હોય. (કિતાબુલ મસાઈલ : ર/૮૦)
પાણીથી કુલ્લી કર્યા પછી થૂંક ગળી જવું
કુલ્લી કર્યા પછી મોઢામાં કે પાણીની જે તરી રહી જાય છે તેને થૂંક સાથે ગળી જવાથી રોઝામાં કોઈ ખરાબી આવતી નથી. (કિતાબુલ મસાઈલ : ર/૮૦)
પરસેવો અથવા આંસૂના એક–બે ટીપાં મોઢામાં ચાલ્યા ગયાં
આંસૂ યા ચહેરાના પરસેવાના એક–બે ટીપાં અંકુશ વગર ગળામાં ચાલ્યા ગયા તો રોઝહ ફાસિદ નહિ થાય. (કિતાબુલ મસાઈલ : ર/૮૦)
રોઝાની હાલતમાં કાનનો મેલ–ગંદવાડ કાઢવો
કાનનો મેલ કાઢવાથી રોઝહ તૂટશે નહિ, ભલેને કેટલીય વાર કાનમાં સળી નાખવામાં આવે. (કિતાબુલ મસાઈલ : ર/૮૦)
પાનની લાલી મોઢામાં રહી જવી
જો પાન ખાઈને ખૂબ કુલ્લી, ગરગરહ કરી મોં સાફ કરી લેવું, પરંતુ જો થૂંકની લાલી ન ગઈ તો તેમાં કોઈ વાંધો નથી. જો તે લાલીની અસરો થૂંક સાથે પેટમાં જતી રહે તો પણ રોઝહ તૂટશે નહિ. (કિતાબુલ મસાઈલ : ર/૮૦)
રોઝામાં નાકની ચિકાશને જોરથી ખેંચવી
નાકમાંની ચિકાશને એટલા જોરથી ખેંચવી કે ગળામાં જતી રહી તો તેનાથી રોઝહ તૂટશે નહિ. (બેહિશ્તી ઝેવર : ૩/ર૧, કિતાબુલ મસાઈલ : ર/૮૧)
લાળનું મોઢામાં ખેંચવું
જો મોઢામાંથી લાળ નીકળી, પરંતુ તે અલગ થઈ ટપકવા ન પામી હતી કે તેને મોઢાની બાજુ ખેંચી ગળી ગયો તો તેનાથી રોઝહ તૂટશે નહિ. (કિતાબુલ મસાઈલ : ર/૮૧)
ઊલટીનું તે પોતે જ પરત થવું
થોડીક ઊલટી આવી પછી ખુદ ગળામાં પરત થઈ ગઈ તો રોઝહ તૂટશે નહિ. અલબ, જાણીબુઝીને પરત કરવાથી રોઝહ તૂટી જશે. (કિતાબુલ મસાઈલ : ર/૮૧)
માથા પર પલાળેલો રૂમાલ મૂકવો
રોઝાની હાલતમાં રૂમાલ ભીનો કરી વગર કરાહતે મૂકી શકાય છે. (કિતાબુલ મસાઈલ : ર/૮૧)
રોઝામાં મિસ્વાક કરવું
રોઝામાં સૂકું અથવા ભીનું–લીલું મિસ્વાક કરવું વગર કરાહતે જાઈઝ છે, તેમાં કોઈ વાંધો નથી અને ખુદ હુઝૂર નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી રોઝહની હાલતમાં મિસ્વાક કરવું સાબિત છે. (તિરમિઝી શરીફ : ૧/૧પ૪, કિતાબુલ મસાઈલ : ર/૮ર)
રોઝામાં લીમડાની તૃપ્ત મિસ્વાકનો હુકમ
રોઝામાં લીમડા વગેરેનું તર–તૃપ્ત મિસ્વાક કરવામાં શરઈ દષ્ટિએ કોઈ વાંધો નથી. (કિતાબુલ મસાઈલ : ર/૮ર)
રોઝામાં સૂરમો લગાડવો
રોઝાની હાલતમાં આંખમાં સૂરમો લગાડવો જાઈઝ છે. (કિતાબુલ મસાઈલ : ર/૮ર)
રોઝાની હાલતમાં આંખ–કાનમાં દવા નાખવી
રોઝાની હાલતમાં જરૂરતના સમયે આંખ–કાનમાં દવા નાખવી જાઈઝ છે, તેનાથી રોઝહ તૂટતો નથી. ભલેને દવાની અસર ગળામાં માલૂમ પડતી હોય, પરંતુ સખત મજબૂરી ન હોય તો બચવું જોઈએ. (જવાહિરુલ ફિકહ : ૧/૩૭૯, કિતાબુલ મસાઈલ : ર/૮ર, ઝુબ્દતુલ ફતાવા : ૪/૩૯ર થી ૩૯૮)
નોંધ : ઉપરોક્ત મસ્અલહ બાબત રસપ્રદ સંશોધન વાંચવું હોય તો ઉસ્તાઝી વ મુહતરમી હઝરત મવલાના વ મુફતી ઇસ્માઈલ સાહબ ભડકોદ્રવી (દા.બ.)નો મૂલ્યવાન ફતાવા સંગ્રહ ”ઝુબ્દતુલ ફતાવા” ૪/૩૯ર થી ૩૯૮ નો અભ્યાસ કરો. એવું જણાશે કે પ્રત્યેક શબ્દ અને અક્ષરમાંથી અમૃતરસની ધારા વહે છે. –મુહમ્મદસઈદ
રોઝામાં ફૂલ અથવા આરની ખૂશ્બૂ સૂંઘવી
રોઝાની હાલતમાં ફૂલો અથવા અત્તરની ખુશ્બુ સૂંઘવામાં કોઈ વાંધો નથી. (કિતાબુલ મસાઈલ : ર/૮ર)
રોઝામાં માથા અથવા બદન પર તેલ લગાડવું
રોઝાની હાલતમાં માથા અથવા બદન પર તેલ લગાડવું મુબાહ છે, તેનાથી રોઝામાં કોઈ ખરાબી આવતી નથી. (જવાહિરુલ ફિકહ : ૧/૩૭૯, કિતાબુલ મસાઈલ : ર/૮૩)
રોઝા દરમિયાન ગળામાં ધૂળ જતી રહે તો…
રોઝાની હાલતમાં જો ઈખ્તિયાર અને ઈરાદા વગર ગળામાં ધૂળ દાખલ થઈ જાય તો તેનાથી રોઝહ તૂટતો નથી. (કિતાબુલ મસાઈલ : ર/૮૩)
રોઝહમાં ઈખ્તિયાર વગર મોઢામાં ધુમાડો દાખલ થવો
જો રોઝાદાર એવી જગ્યાએ ચાલ્યો જાય જ્યાં ધુમાડો છવાયેલો છે અને તે ધુમાડો તેના ઈખ્તિયાર (સામર્થ્ય) કે ઈરાદા વગર તેના મોઢામાં દાખલ થઈ જાય તો તેનાથી રોઝહ તૂટશે નહિ. (કિતાબુલ મસાઈલ : ર/૮૩)
નોંધ : પરંતુ જો ઈરાદાપૂર્વક ધુમાડો મોંમાં દાખલ કરશે દા.ત. અગરબત્તીનો ધુમાડો નાકમાં ચઢાવ્યો અથવા બીડી, સિગરેટ પીધી તો શક કર્યા વગર રોઝહ તૂટી જશે. (કિતાબુલ મસાઈલ : ર/૮૩)
ગુસલ દરમિયાન ઈરાદા વગર કાનમાં પાણી જતું રહેવું
જો રોઝાદારના કાનમાં ગુસલ કરતી વેળા અથવા વરસાદમાં યા દરિયામાં યા સ્વીમીંગ પુલમાં સ્નાન કરતી વેળા ઈરાદા વગર કાનમાં ઘૂસી જાય તો તેનાથી સર્વની સહમતીથી રોઝહ તૂટશે નહિ. (કિતાબુલ મસાઈલ : ર/૮૪)
રોઝહની હાલતમાં સ્વપ્નદોષ
રોઝહની હાલતમાં સ્વપ્નદોષ થવાથી રોઝહ તૂટતો નથી. (કિતાબુલ મસાઈલ : ર/૮૪)
કલ્પના કે વિચારના કારણે વીર્યસ્ખલન થવું
જો કોઈ માણસે રોઝાની હાલતમાં બીવીથી સંભોગની કલ્પના કરી અને તેનાથી વીર્યસ્ખલન થઈ ગયું તો તેનાથી રોઝહ તૂટશે નહિ. (કિતાબુલ મસાઈલ : ર/૮૪)
બદનઝરીના કારણે વીર્યસ્ખલન થવું
કેવળ કોઈ ઓરત અથવા ફોટાને જોઈ વીર્યસ્ખલન થઈ જાય તો તેનાથી રોઝહ ફાસિદ થશે નહિ. તેમ છતાં બદનઝરી કોઈ પણ ભોગે ગુનાહિત કૃત્ય છે. (કિતાબુલ મસાઈલ : ર/૮૪)
રોઝામાં મઝી નીકળવી
જો ગુપ્ત અંગને હાથ લગાડતા હવસ જેવું લાગે અને પછી હવસ બંધ પડી જતાં મઝી (વીર્ય પહેલાં નીકળતો ચીકણો પદાર્થ)નીકળે તો તેનાથી રોઝહ તૂટશે નહિ, પરંતુ આવી હરકત–કૃત્ય કરવું જાઈઝ નથી.(ઝુબ્દતુલ ફતાવા : ૪/૩૯ર, કિતાબુલ મસાઈલ : ર/૮૪)
Log in or Register to save this content for later.