લાચારી વિના ઈમામ સાથે સફ બનાવવી.

Chapter : જમાઅત વિષે

(Page : 169)

સવાલ(૧૭૧–પ૧):– જમાતખાનામાં અંદરના ભાગમાં એક બે સફ જુમ્‍આની નમાઝ વખતે ખાલી રહે છે.તેમજ જમાતખાનાના બહારના ભાગમાં બે સફ ખાલી રહે છે,છતાં પણ લોકો ઈમામના આજુ બાજુ સફ બનાવી જેવી રીતે કે ઈમામ સાથે એક મુકતદી હોય અને જમણી બાજુ ઉભો રહે છે,તે પ્રમાણે બધા ઉભા થઈ જાય છે, તો નમાઝ મકરૂહ થશે ? એ સુન્‍નતના વિરૂધ્ધ છે ? અફઝલ અને બેહતર શું છે ?

જવાબ(૧૭૧–પ૧):– પાછળ ખાલી જગ્યા હોવા છતાં વિના લાચારીએ ઈમામ સાથે સફ બનાવવી મકરૂહે તહરીમી છે,કારણ કે બેથી વધુ મુકતદીઓ હોય તો ઈમામનું આગળ ઉભા રહેવું અને મુકતદીઓનું પાછળ ઉભા રહેવું વાજિબ છે,અલબત્ત જગ્યાની તંગી હોય મુસલ્લીઓનો સમાવેશ થતો ન હોય તો લાચારીએ ઈમામની આજુ બાજુ સફ કરવામાં વાંધો નથી.એજ ખુદાપાક વધુ જાણનાર છે. (શામીઃર/૩૦૯ )

Log in or Register to save this content for later.