Chapter : જમાઅત વિષે
(Page : 172)
સવાલ(૧૭૬–પ૬):– અમારી મસ્જિદમાં બીજા ટાઈમો સિવાય મગરિબની પ્રથમ નમાઝ થાય કે તુરત બીજી જમાઅત થાય છે,પ્રથમ નમાઝની સલામ ફરે કે બીજા ઈફતારથી મોડા આવનારને આ જમાઅતનો લાભ મળે છે,તો શું આવી રીતે દરરોજ જમાઅત અને તે રમઝાનમાં ફકત મગરિબની જ થાય તે ચાલી શકે ખરૂં ?
જવાબ(૧૭૬–પ૬):– રમઝાનમાં ઈફતારીના કારણે મગરિબની જમાઅત આઠ દસ મિનિટ મોડી કરવામાં વાંધો નથી,જેથી સર્વે મુસલ્લીઓને જમાઅત મળી શકે,જમાઅત મકસૂદ છે,પછી બીજી જમાઅત કરવાની જરૂરત જણાશે નહિં,મહોલ્લાની મસ્જિદમાં રમઝાનમાં કે બીજા માસમાં બીજી જમાઅત કરવી (મગરિબની કે બીજી નમાઝો)મના છે,લોકોમાં સુસ્તી પેદા થશે,વળી બીજી જમાઅતનો સવાબ પણ ઓછો છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.(આલમગીરીઃ૧/પ૧)
Log in or Register to save this content for later.