Chapter : જેની રકાતો છુટેલ હોય
(Page : 173)
સવાલ(૧૭૯–પ૯):– મુકીમ માણસ,મુસાફિર ઈમામની પાછળ કાયદામાં શરીક થાય,તે પોતાની ચાર રકાત કેવી રીતે પુરી કરે ? તે વિગત સમજાવી એહસાનમંદ કરશો. એવી જ રીતે એક રકાત મળી હોય તો બાકીની પોતાની ત્રણ રકાતો કેવી રીતે પઢે ?
જવાબ(૧૭૯–પ૯):– ઈમામ સા.ના સલામ ફેરવ્યા બાદ સદરહુ મુકીમ જેની રકાતો છુટેલ છે તે પોતાની ચાર રકાતો જેમ એકલો પઢે છે તેવી જ રીતે પઢે,એટલે પહેલી બે રકાતો કિરાઅત સાથે અને પાછલી બે રકાતો ખાલી પઢે, અને જો એક રકાત મળી હોય તો પહેલી રકાત કિરાઅત (સૂરએ ફાતિહા અને બીજી સૂરત) સહિત પઢે,અને કાયદો કરે,(બે રકાત ઉપર બેસે) ફરી ઉભા થઈને એક રકાતમાં કિરાઅત અને બીજી ખાલી પઢે,સારાંશ કે છુટી ગયેલી રકાતોમાં મુનફરિદ (એકલો નમાઝ પઢનાર) લેખાશે,જેમ એકલો પઢે તેવી જ રીતે પઢે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.(શામીઃ ર/૬૧૧. હિદાયાઃ ૧/૧૬૭)
Log in or Register to save this content for later.