Chapter : જમાઅત વિષે
(Page : 171)
સવાલ(૧૭૪–પ૪):– મસ્જિદમાં એકવાર જમાઅતથી નમાઝ થઈ ગયા પછી અમુક લોકો પાછળથી આવી બીજી જમાઅત કરી નમાઝ પઢે છે,તો તે કેમ છે ? શું પઢી શકાય ?
જવાબ(૧૭૪–પ૪):– મહોલ્લાની મસ્જિદમાં જેમાં મહોલ્લાવાસીઓએ અઝાન,તકબીરથી જમાઅત કરી હોય તેમાં બીજી જમાઅત મકરૂહે તહરીમી છે,તેમાં શરીક થવું નહિં,બલ્કે એકલા નમાઝ પઢી લેવી જોઈએ.
હદીષ શરીફમાં છે કે એક સમયે રસૂલુલ્લાહ (સલ.) બે કુટુંબોમાં સુલેહ (સમાધાન) કરાવવા ગયા,પાછા ફર્યા ત્યારે મસ્જિદે નબવીમાં જમાઅત થઈ ચુકી હતી,તો આપ (સ.અ.વ.)એ બીજી જમાઅત કરી નહિં,ઘેર જઈ નમાઝ પઢી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.(શામીઃર/ર૮૮)
Log in or Register to save this content for later.