મસ્જિદની સહેનમાં જમાઅત કરવી.

Chapter : જમાઅત વિષે

(Page : 170)

સવાલ(૧૭ર–પર):– મુસલ્લો મેહરાબમાં કે મિમ્બરવાળી સફ ઉપર રાખવો જોઈએ કે ગમે ત્યાં રાખી શકાય ? જમાઅતખાનાના બહાર સહનમાં નમાઝ બાજમાઅત પઢવા માટે શું હુકમ છે ? અને ગરમીમાં પણ પઢવામાં આવે છે,અમારે ત્યાં ટાવર મસ્જિદમાં જમાઅતખાના બહાર નમાઝ બાજમાઅત પઢવામાં આવે છે,ત્યાં જનાઝહની નમાઝ પણ પઢવામાં આવે છે,તો શરીઅત નો હુકમ શું છે ?

જવાબ(૧૭ર–પર):–  જો દર્શાવેલ મસ્જિદનું સહન દાખિલે મસ્જિદ– મસ્જિદના હુકમમાં લેખાતું હોય તો જમાઅત કરવામાં વાંધો નથી,સહનમાં પઢવાથી પણ મસ્જિદનો જ સવાબ મળશે,પરંતુ નમાઝે જનાઝહ ત્યાં મકરૂહ થશે,જો સહેન મસ્જિદથી ખારિજ (બહાર) હોય જેમકે જનાઝહની નમાઝ પઢવાથી જણાય છે,તો ત્યાં જમાઅત કરી શકાય નહીં,બાકી મુસલ્લો મેહરાબમાં કે મિમ્બરવાળી સફમાં જ રાખવો જરૂરી નથી,જો મસ્જિદ પહોળી હોય,તંગી ન હોય તો ગમે ત્યાં મસ્જિદમાં રાખી શકાય છે,પેશ ઈમામ સાથે કમ અઝ કમ એક સફ મસ્જિદમાં હોવી જોઈએ. ફકત અલ્લાહ તઆલા  વધુ જાણનાર છે.       (ઈમદાદુલ ફતાવાઃર/૬૩૭ )

Log in or Register to save this content for later.