Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ
(Page : 166)
સવાલ(૧૬૪–૪૪) હું ફિલ્મ ઓપરેટરનું કામ કરૂ છું,થોડા દિવસ પહેલાં એક તબ્લીગી જમાઅત મારા ગામમાં આવી,ઝહોર વખતે ઈમામ સાહબ હાજર ન હતા, મુસલ્લીઓનાં જોર દેવાથી ઝોહરની નમાઝ મેં પઢાવી,એવીજ રીતે અસરની નમાઝ પણ મેં પઢાવી, વાતો વાતોમાં મેં ફઝલે કરીમ સાહબને કહી દીધું કે હું સિનેમા ઓપરેટરનું કામ કરૂ છું,આ સાંભળી તેઓ નારાજ થઈ ગયા,અને તેજ વખતે તમામ મુસલ્લીઓને કહયું કે તમામ અસરની નમાઝ ફરી દોહરાવે,એવી રીતે દરેકે પોતાની નમાઝ દોહરાવી,હવે મારા પાછળ જે નમાઝ પઢી તે સહીહ થઈ કે નહિં ?
જવાબ(૧૬૪–૪૪) ફિલ્મમાં નોકરી કરવી મના છે,એવો માણસ ફાસિક લેખાશે,અને ફાસિકની ઈમામત મકરૂહ છે.ફાસિક ઈમામતનો લાયક નથી, પરંતુ સંજોગ વસાત ફાસિકને ઈમામ બનાવી દેવામાં આવે,તો એની પાછળ નમાઝ પઢી લેવામાં આવે,એકલા પઢે નહિં,જેમકે હઝરત ઉસ્માન(રદિ.)ઉપર બળવા વખતે બળવાખોરો જમાઅત કરાવતા હતા. હઝરત ઉસ્માન (રદિ.)ના અનુયાયીઓએ પુછયું હમે એમની પાછળ નમાઝ પઢીએ ? તો હઝરત ઉસ્માન (રદિ.)એ ફરમાવ્યું હા; અલ્લાહના રસૂલ (સલ.) નો ઈર્શાદ છે, ” વસ્સલાતુ વાજિબતુન અલયકુમ ખલ્ફ કુલ્લિ મુસ્લિમિન બિર્રન કાન અવ ફાજીરન વઈન અમિલલ કબાઈર” અર્થાત દરેક નેક અને ફાજિર મુસલમાનના પાછળ જમાઅત સાથે નમાઝ પઢો,ભલે તે ગુનાહે કબીરહ કરતો હોય.(મિશ્કાત શરીફઃ પેજ–૧૦૦)
ફાસિક ઈમામ પાછળ પઢેલી નમાઝ લોટાવવી વાજિબ નથી, ફઝલે કરીમ સાહેબનું એ’લાન (નમાઝ લોટાવવા બાબત) ફત્વા વિરૂધ્ધ છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.(ફતાવા કાજીખાનઃ ૧/૪૪, આલમગીરીઃ૧/૮પ, ઈમદાદુલફતાવાઃ૧/૩પ૦)
Log in or Register to save this content for later.