નમાઝ ન પઢનાર નાયબ ઈમામનો હુકમ.

Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ

(Page : 168)

સવાલ(૧૬૭–૪૭):– અમારે ત્યાં મસ્જિદમાં બે ઈમામો છે,એક ઈમામના ઝિમ્મે રોજ બે નમાઝ પઢાવવાની છે,મજકૂર ઈમામ વધુ ભાગે ફરજ નમાઝ,વિના કારણે જાણી બુઝી પઢતા નથી,એવા ઈમામ માટે શરીયતની રૂએ શું હુકમ છે ? એવા જાણી બુઝી ફરજ નમાઝ છોડનાર ઈમામ પાછળ નમાઝ થાય કે નહિં ? એવા ઈમામને નોકરી ઉપર રાખવું કેવું છે ?

જવાબ(૧૬૭–૪૭):– ઉપરોકત લખેલ બીના જો સત્ય હોય તો એવા ઈમામ, ફાસિક લેખાશે,અને તેમની પાછળ નમાઝ મકરૂહે તહરીમી લેખાશે,ઈમામે પાબંદી કરવી જોઈએ,જો તેઓ પોતાની ટેવ સુધારે નહિં તો ઈમામતથી છુટા કરવામાં આવે,ઈમામત પાત્ર નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (આલમગીરીઃ૧/૮પ,શામીઃ ર/ર૯૮. હિદાયાઃ ૧/૧રર)

Log in or Register to save this content for later.