ઈમામ અસરની નમાઝમાં કિરાઅત પઢે.

Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ

(Page : 169)

સવાલ(૧૭૦–પ૦):– ઈમામ સા. અસરની નમાઝ પઢાવી રહયા હતા,અને ભૂલથી કિરાઅત બુલન્દ અવાઝે પઢવા લાગ્યા,હવે મુકતદીઓને શું કરવું જોઈએ ? ઈમામને લુકમો આપે કે કઈ રીતે યાદ અપાવે ?

જવાબ(૧૭૦–પ૦):– મુકતદીઓએ “સુબ્હાનલ્લાહ” કહી લુકમો દેવો જોઈએ,જેથી ઈમામ સા.ને યાદ આવી જાય,જો ઈમામ સા.ત્રણ આયતો જોરથી પઢી ગયા હોય તો સિજદએ સહવ વાજિબ થશે,નહિંતર કંઈ નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (મરાકિયુલ ફલાહઃ પેજ–૭૬ તથા પ૭તથા ૧૧૩)

Log in or Register to save this content for later.