Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ
(Page : 169)
સવાલ(૧૬૯–૪૯):– એક ભાઈનું કહેવું છે કે ઈમામ નમાઝ પઢાવતા હોય તો “નિય્યત પઢતાં હું” કહે તો મુકતદીની ઝિમ્મેદારી ઈમામ પર રહેતી નથી, તો શું મુકતદીની નમાઝની ઝિમ્મેદારી ઈમામ નમાઝ પઢાવવા માટે આગળ અને “નિય્યત પઢતાં હું” કહે તો તેમનું કહેવું બરાબર છે ? હમોએ તો મુફતી અ.રહીમ સા.(દા.બ.) ની ગુજરાતી કિતાબમાં વાંચ્યું છે કે ઈમામ નમાઝ પઢાવવાની નિય્યત કરે તો બેહતર છે, તો કેવી રીતે નિય્યત કરવી ?
જવાબ(૧૬૯–૪૯):– ઈમામ ઉપર ઈમામની નિય્યત શર્ત નથી,મુસ્તહબ (બેહતર) છે,મુકતદી ઉપર ઈકતિદાની નિય્યત જરૂરી છે,નહિં તો ઈકતિદા દુરૂસ્ત લેખાશે નહિં,અલબત્ત જમાઅતમાં સ્ત્રીઓ હોય તો સ્ત્રીઓની ઈમામતની નિય્યત (હું સ્ત્રીઓની પણ નમાઝ પઢાવું છે) જરૂરી છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે. (કાજીખાનઃ૧/૪૧,શામીઃ ર/ર૮પ)
Log in or Register to save this content for later.